AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : સીતા માતા ક્યારેય રાવણના મહેલમાં ગયા હતા ? વનવાસમાં પહેર્યો હતો મુગટ? ‘શ્રીમદ રામાયણ’ શોના સીન પર દર્શકો ભડક્યા

'શ્રીમદ રામાયણ' એક લોકપ્રિય ટીવી શો છે. આ શો શરૂ થયાને થોડા મહિના જ થયા છે. અત્યાર સુધી લોકો આ શોને ખૂબ પસંદ કરતા હતા, પરંતુ સીતા હરણ પછી આ શોમાં ઘણા સીન સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. હાલમાં જ એક આવો સીન બતાવવામાં આવ્યો હતો, જેના પછી ફેન્સ ટ્રોલ થવા લાગ્યા છે.

Video : સીતા માતા ક્યારેય રાવણના મહેલમાં ગયા હતા ? વનવાસમાં પહેર્યો હતો મુગટ? 'શ્રીમદ રામાયણ' શોના સીન પર દર્શકો ભડક્યા
Shrimad Ramayana show
| Updated on: Apr 13, 2024 | 2:14 PM
Share

વર્ષ 1987માં આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો અત્યારે કદાચ જ કોઈ અન્ય શોને મળ્યો હશે. આ શોમાં અરુણ ગોવિલ ભગવાન રામના રોલમાં અને દીપિકા ચિખલિયા માતા સીતાના રોલમાં જોવા મળી હતી.

આ શો પછી બંનેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે લોકો તેમને વાસ્તવિક ભગવાન માનવા લાગ્યા. તે શો ખુબ જ સરળ અને સાદી રીતે બનાવવામાં આવ્યો હતો તેમાં કોઈ પણ પ્રકારનું અલગથી કન્ટેન્ટ ઉમેરી વબતાવવામાં આવ્યું નથી. હાલમાં જ ટીવી પર ‘શ્રીમદ રામાયણ’ નામનો શો શરૂ થયો છે. શરૂઆતમાં લોકોને આ શો પસંદ આવ્યો હતો, પરંતુ હવે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેના એક સીનને લઈને લોકો ચોંકી ગયા છે અને રામાયણનું અપમાન કરવાના ઓરોપ લાગી રહ્યા છે.

શ્રીમદ રામાયણ’ના સીન પર દર્શકો ભડક્યા

‘રામાયણ’ની તર્જ પર, ‘શ્રીમદ રામાયણ’ની શરૂઆત વર્ષ 2024ની શરૂઆતથી કરવામાં આવી હતી. આ શોને ખૂબ પ્રમોટ કરવામાં આવ્યો હતો, જેના કારણે શોને શરૂઆતથી જ સારો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. શો માટે કરવામાં આવેલી કાસ્ટિંગને પણ લોકોએ પસંદ કરી હતી. લાંબા સમય સુધી શોમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી એક વળાંક આવ્યો જેના પછી ચાહકો ચોંકી ગયા અને શોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

આ ટ્વિસ્ટ સીતા હરણના સીન પછી આવ્યો છે, જેને જોઈને દર્શકોને લાગ્યું કે મેકર્સ તેને ખોટી રીતે બતાવી રહ્યા છે. લેટેસ્ટ ટ્રેક મુજબ રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયો છે. જ્યારે રામ અને લક્ષ્મણ તેમની શોધમાં લાગેલા છે.

આ સીન પર લોકો ઉતાર્યો ગુસ્સો

સીતા હરણ પછી મેકર્સે અનેક તથ્યો સાથે છેડછાડ કરી છે, જેના કારણે દર્શકોનું દિમાગ ફરી રહ્યું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, સીતા ક્યારેય રાવણના મહેલમાં ગયા નથી, તે હંમેશા અશોક વાટિકામાં જ રહેતા હતા અને રાવણે ક્યારેય તેની તરફ ખરાબ નજરથી જોયું નથી, પરંતુ શોના તાજેતરના એપિસોડમાં, માતા સીતાનું પાત્ર રાવણના મહેલમાં બતાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના માથા પર મુગટ પણ દેખાય છે. એક તરફ તે ભગવા કપડામાં છે તો બીજી તરફ તેના માથા પર નાનો મુગટ પણ છે. હવે આ જોઈને ચાહકો ચોંકી ગયા છે.

દર્શકોની પ્રતિક્રિયા

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘તેને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યું છે. સીતાજી ક્યારેય રાવણના મહેલમાં ગયા ન હતા. અન્ય એક યુઝરે લખ્યું, ‘માતા સીતા અશોક વાટિકામાં રહેતા હતી.’ આ પછી જ એક યુઝરે લખ્યું, ‘બધું સારું ચાલી રહ્યું હતું, બધું બગડી ગયું છે.’

ગુસ્સે થયેલા યુઝરે લખ્યું, ‘લોકોની ભાવનાઓ સાથે ન રમશો, આ એવો શો નથી જેમાં કંઈપણ બતાવી શકાય.’ આવી સ્થિતિમાં, મોટાભાગના ચાહકોનું માનવું છે કે લંકેશ અને સીતાને એકસાથે બતાવવાનું ખોટું છે અને તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">