‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ આખરે 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ પોલીસ તેને શોધી શકી ન હતી. અભિનેતાના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુરચરણ સિંહના પિતા તેમના પુત્રની ગેરહાજરીથી ખૂબ જ પરેશાન હતા. પરંતુ અભિનેતાના પરત ફર્યા બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે તેણે 25 દિવસ સુધી શું કર્યું અને ક્યાં હતો.
‘આજ તક’ના અહેવાલ મુજબ ગુરુચરણ સિંહ પોતે 17 મેના રોજ ઘરે પરત ફર્યા હતા. તે આવતાની સાથે જ પોલીસે તેની પૂછપરછ કરી છે. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે દૂનિયાથી દૂર ધાર્મિક યાત્રા પર નીકળ્યો હતો. છેલ્લા 25 દિવસમાં તેઓ ક્યારેક અમૃતસર તો ક્યારેક લુધિયાણામાં હતા. જો ગુરુચરણ સિંહની વાત માનીએ તો તેઓ ઘણા શહેરોમાં ગુરુદ્વારા ગયા હતા અને ત્યાં રોકાયા હતા. પરંતુ જ્યારે તેને ખબર પડી કે હવે તેણે તેના ઘરે પાછા ફરવું જોઈએ, ત્યારે તે તરત જ પાછો આવ્યો.
Taarak Mehta Ka Ooltah Chashmah fame actor #GurucharanSingh has returned home on 17 May. He had gone missing on 22nd April. The Police have recorded his statement in the court. Gurucharan Singh said he had gone away from home on a spiritual journey: Delhi Police
(Representative… pic.twitter.com/YzJMyRHYpr
— Tv9 Gujarati (@tv9gujarati) May 18, 2024
22 એપ્રિલે ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યા. પરંતુ જ્યારે તે 26મી એપ્રિલ સુધીમાં મુંબઈ ન પહોંચ્યો ત્યારે તેના પરિવારજનો ચિંતા કરવા લાગ્યા. ગાયબ થતા પહેલા અભિનેતા દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પરંતુ તે પછી તે ત્યાંથી ક્યાં ગયો તેની કોઈને જાણ નહોતી.
જે બાદ ગુરુચરણના પિતાએ પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. જેના દ્વારા દરરોજ નવી માહિતી મળતી હતી. પરંતુ અભિનેતાનું પરફેક્ટ લોકેશન કોઈને ખબર ન હતી.
ગુરુચરણ સિંહના પરત ફર્યા બાદ હવે આ મામલે પોલીસનું કહેવું છે કે અભિનેતા પ્લાનિંગ સાથે તેનું ઘર છોડીને ગયો હતો, તેથી શોધખોળ કરવા છતાં તેને કોઈ મળી શક્યું નથી. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે ગુરૂચરણ ગુમ થતા પહેલા પોતાનો મોબાઈલ દિલ્હીના પાલમ વિસ્તારમાં છોડીને ગયો હતો.
મોબાઈલ ફોન ન હોવાના કારણે પોલીસ માટે તેને શોધવાનું મુશ્કેલ બની રહ્યું હતું. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ જોવાનું શરૂ કર્યું ત્યારે અભિનેતા ઈ-રિક્ષા બદલતો જોવા મળ્યો હતો. જેના કારણે તપાસ ચાલી રહી હતી કે તે પ્લાનિંગ સાથે દિલ્હીની બહાર ગયો હતો.