Telleywood News: વધુ એક ટીવી સેલિબ્રિટીનો જીમ વર્કઆઉટ દરમિયાન જીવ ગયો, સિદ્ધાંત વીર સૂર્યવંશીનું દુનિયામાંથી વોક આઉટ
ટીવી જગતમાંથી હાલમાં જ એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Siddhaanth Vir Surryavanshi) નિધન થયું છે. સમાચાર મુજબ વર્કઆઉટ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો.

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર હસ્તીઓમાંના એક એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધાંતનું મોત જીમમાં વર્કઆઉટ દરમિયાન થયું હતું. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક્ટરે પોતાનું નામ આનંદ સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત સૂર્યવંશી કર્યું છે. સિદ્ધાંતના આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. આ સાથે જ ટીવી જગત માટે પણ આ ખૂબ જ હેરાન કરનારા સમાચાર છે.
સિદ્ધાંતના મોતના સમાચારે સમગ્ર ટીવી જગતને હચમચાવી દીધું છે. માત્ર 46 વર્ષની વયે તેનું નિધન થયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં જણાવવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સારવાર કરીને તેમને સાજા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, અંતે ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ ગયા અને એક્ટરને મૃત જાહેર કર્યો.
View this post on Instagram
ડોક્ટરોના પ્રયાસો પણ થયા નિષ્ફળ
હાલમાં, સિદ્ધાંત વિશે એક જ સમાચાર સામે આવ્યા છે કે જીમમાં વર્કઆઉટ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં લાખો પ્રયત્નો બાદ પણ તેને બચાવી શકાયો ન હતો. જ્યારથી આ સમાચાર આવ્યા છે, સોશિયલ મીડિયા પર દરેક લોકો એક્ટરના પરિવાર અને નજીકના લોકોને સાંત્વના આપી રહ્યા છે. તેમજ દુ:ખના આ સમયમાં મજબૂત રહેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
View this post on Instagram
આ સિરિયલોમાં કર્યું હતું કામ
સિદ્ધાંતે ઘણી ટીવી સિરિયલોમાં કામ કરીને ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી હતી. તે ‘સુફિયાના ઈશ્ક મેરા’ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે. તે છેલ્લે ઝી ટીવીનો શો ‘ક્યૂ રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો. આ પહેલા ટીવી સ્ટાર અને ભાભી જી ઘર પર હૈ ફેમ દીપેશ ભાનના નિધનથી પણ ટીવી જગતને આંચકો લાગ્યો હતો.