રાજુ શ્રીવાસ્તવ 19 દિવસથી બેભાન , સ્વસ્થ થવામાં હજુ સમય લાગી શકે છે

|

Aug 29, 2022 | 9:54 AM

તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. ડોકટરોનું કહેવું છે કે, તે પહેલા કરતા સારું છે પરંતુ હજુ પણ તેને હોશમાં આવવામાં સમય લાગી શકે છે.

રાજુ શ્રીવાસ્તવ 19 દિવસથી બેભાન , સ્વસ્થ થવામાં હજુ સમય લાગી શકે છે
રાજુ શ્રીવાસ્તવ 19 દિવસથી બેભાન , સ્વસ્થ થવામાં હજુ સમય લાગી શકે છે
Image Credit source: Tv9 Graphics Team

Follow us on

Raju Srivastav : રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)ના સ્વાસ્થને લઈ દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જેની જાણકારી તેના પરિવાર અને નજીકના સગા સંબંધીઓ તેમજ ડોક્ટરો આપી રહ્યા છે. કોમેડિયન રાજુશ્રીવાસ્તવને છેલ્લા 19 દિવસથી બેભાન છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ (AIIMS Hospital Delhi)માં તે જીંદગી સામે જંગ લડી રહ્યો છે. આખો દેશ તેના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ વચ્ચે તેના પરિવારના લોકો સતત અપીલ કરી રહ્યા છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓને નજર અંદાજ કરે.

રિપોર્ટ અનુસાર રાજુ શ્રીવાસ્તવના પરિવાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ઉડેલી ખોટી અફવાઓથી પરેશાન છે. હાલમાં રાજુ શ્રીવાસ્તવના ભાઈએ જણાવ્યું કે, તેના પરિવારના લોકોએ ખોટી અફવાઓ ફેલાવા પર એક્શન લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસથી તેના પરિવારના લોકોએ સોશિયલ મીડિયા પર અફવાથી દુર રહેવાની અપીલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

9 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી

 

 

રાજુ શ્રીવાસ્તવે 9 ઓગસ્ટે સોશિયલ  મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્વ. શશિ કપૂરની મિમિક્રી કરી હતી.

પરિવારના લોકોએ અફવાથી દુર રહેવાની અપીલ કરી

રાજુ શ્રીવાસ્તવના ભત્રીજા મયંક શ્રીવાસ્તવે કોમેડિયનના સ્વાસ્થની જાણકારી આપી હતી. મયંકે જણાવ્યું કે, રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં પહેલાથી સુધારો થઈ રહ્યો છે. તાજા રિપોર્ટ મુજબ રાજુને હવે ડોક્ટરોની દવાઓનો રિસ્પોન્સ થઈ રહ્યો છે.

રાજુ શ્રીવાસ્તવને ક્યારે આવી શકે છે હોશ

તમને જણાવી દઈએ કે, મશહુર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. હજુ સુધી રાજુ શ્રીવાસ્તવને હોશ આવ્યો નથી.હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, તેમની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટર્સ તેમને વેન્ટિલેટર પરથી હટાવવાની યોજના બનાવી રહ્યા છે.58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી.રાજુને મોટી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો.

Next Article