રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે, જાણો હેલ્થ અપડેટ્સ

રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે તે હજુ વેન્ટિલેટર પર છે. ડોકટરોનું કહેવું છે કે તેની તબિયત હવે સુધરી રહી છે.

રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે, જાણો હેલ્થ અપડેટ્સ
Raju shrivastv
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 12:09 PM

Raju Srivastav : રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ (Health)ને લઈ દરરોજ નવું અપટેડ સામે આવી રહ્યું છે. હાલમાં તેના સ્વાસ્થને લઈ સતત સુધારો થતો જોવા મળી રહ્યો છે, તેના સારા સ્વાસ્થ માટે ચાહકો અને તેના પરિવારના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં તેના સીનિયર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના પરિવારે જણાવ્યું કે, તેના સ્વાસ્થમાં સુધારો થયો છે. તેને હજુ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)ના ભત્રીજા મયંક શ્રીવાસ્તવે પણ રાજુ શ્રીવાસ્તવના હેલ્થને લઈ કહ્યું કે, રાજુ શ્રીવાસ્તવની હાલત પહેલાથી સુધરી રહી છે. રિપોર્ટસ મુજબ રાજુ હવે ડોક્ટરોને રિસ્પોન્સ કરી રહ્યો છે. મયંક દ્વારા મળેલા અપટેડ પહેલા પણ રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરાએ પણ તેના પપ્પાના સ્વાસ્થને લઈ ખુલાસો કર્યો છે.

પરિવારના સભ્ય કુશાલ શ્રીવાસ્તવ દ્વારા જાણવા મળ્યું હતુ કે, રાજુ શ્રીવાસ્તવની સારવારમાં ડોક્ટરોની ટીમ ઈચ્છે કે રાજુનું વેન્ટિલેટર દુર કરવામાં આવે પરંતુ હજુ આવી કોઈ પ્લાનિંગ નથી. તેમનું કહેવું છે કે, રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થમાં હજુ સુધારો થાય ત્યારબાદ તેના પરથી વેન્ટિલેટર દુર કરવાનું રિસ્ક લઈ શકાય.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેવું છે રાજુ શ્રીવાસ્તવનું હેલ્થ

સમાચાર એવા પણ છે કે, રાજુ શ્રીવાસ્તવે તેની આંખો ખોલી અને તેના હાથ-પગની મુવમેન્ટ શરુ થઈ છે પરંતુ તે કોમામાં હોવાના કારણે થોડી સેકન્ડજ તેણે રિસ્પોન્સ આપ્યો હતો. તેના ચાહકો રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુના એક ચાહકે ટ્વિટ કરી કહ્યું સર હજુ પણ તમામ લોકોના ચેહરા પર મુસ્કાન લાવવાનું તમારું મિશન પુરુ થયું નથી.

10 ઓગસ્ટથી AIIMSમાં દાખલ

ઉલ્લેખનીય છે કે, રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેમને દિલ્હીની AIIMSમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ સતત તેની સારવારમાં લાગેલી છે. ઉપરાંત, તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે રાજુ શ્રીવાસ્તવ જલ્દી સ્વસ્થ થઈને પાછા ફરે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">