AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સાથે ફરી જોવા મળશે સોનુ સૂદ, શું સ્ક્રીન પર ચાલશે જાદુ ?

ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ વર્ષ 2010 માં પૃથ્વીરાજ માટે પટકથા પૂર્ણ કરી હતી, અને પૃથ્વીરાજની ભૂમિકા માટે તેમની પ્રથમ પસંદગી સની દેઓલ હતા

'પૃથ્વીરાજ'માં અક્ષય કુમાર સાથે ફરી જોવા મળશે સોનુ સૂદ, શું સ્ક્રીન પર ચાલશે જાદુ ?
Sonu sood, Akshay kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:04 PM
Share

પૃથ્વીરાજ એ ભારતીય હિન્દી ભાષાની એતિહાસિક પીરિયડ ડ્રામાં ફિલ્મ છે જેનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા કરવામાં આવ્યું છે અને તેને પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સ હેઠળ આદિત્ય ચોપડા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. તે રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન વિશે છે અને પૃથ્વીરાજ ચૌહાણની મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર છે, જ્યારે માનુષી છિલ્લર તેમની પત્ની સંયોગીતાની ભૂમિકામાં છે. ફિલ્મની સત્તાવાર ઘોષણા 9 સપ્ટેમ્બર 2019 ના રોજ કરવામાં આવી હતી, ફિલ્મમાં સજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તંવર, માનવ વિજ અને લલિત તિવારી પણ મહત્વપૂર્ણ ભુમિકામાં છે.

ફિલ્મનું ઓફિશિયલ મોશન પોસ્ટર 9 સપ્ટેમ્બર 2020 ના રોજ યશરાજ ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, શુટિંગની શરૂઆત 15 નવેમ્બર 2019 ના રોજ જયપુરમાં થયું હતું, પરંતુ ભારતમાં COVID-19 રોગચાળાને કારણે માર્ચ 2020 માં સ્થગિત કરવામાં આવ્યુ હતું, જેના કારણે ફિલ્મ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. શુટિંગ ઓક્ટોબર 2020 માં YRF સ્ટુડિયોમાં ફરીથી શરૂ થયું અને હવે તે દિવાળી સાથે 5 નવેમ્બર 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ વર્ષ 2010 માં પૃથ્વીરાજ માટે પટકથા પૂર્ણ કરી હતી, અને પૃથ્વીરાજની ભૂમિકા માટે તેમની પ્રથમ પસંદગી સની દેઓલ હતા, જેમાં સંયોગિતાના રુપમાં ઐશ્વર્યા રાય હતા. જોકે, દેઓલની તારીખના મુદ્દાઓ અને પ્રોડક્શન હાઉસની રુચિના અભાવને કારણે, તેમણે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો અને તે લગભગ મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ દ્વિવેદી હજી પણ પૃથ્વીરાજ બનાવવા ઇચ્છતા હતા અને ઘણા વર્ષો સુધી તેઓ નિર્માતા શોધતા રહ્યા. યશ રાજ ફિલ્મ્સ 2018 માં તેના બચાવમાં આવ્યા, અને ફિલ્મનું કામ ફરી શરુ કર્યું

માર્ચ 2019 માં અક્ષય કુમારે પુષ્ટિ આપી હતી કે તેઓ પૃથ્વીરાજ તરીકેની ભૂમિકામાં આવ્યા છે. અને છેવટે, ફિલ્મની સત્તાવાર જાહેરાત અક્ષય કુમારના 52 મા જન્મદિવસ પર કરવામાં આવી હતી, એટલે કે. 9 સપ્ટેમ્બર 2019,નાં રોજ મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું યશ રાજ ફિલ્મ્સ દ્વારા સોશિયલ મીડિયા પર

માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે અને ઐશ્વર્યા રાયની જગ્યાએ સંયોગિતા બની છે. સંજય દત્ત અને માનવ વિજને વિલન ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. પાછળથી, સોનુ સૂદ અને સાક્ષી તંવર પણ કાસ્ટમાં જોડાયા. તેમાં લલિત તિવારી, અજોય ચક્રવર્તી, ગોવિંદ પાંડે અને દિપેન્દ્રસિંહ પણ સહાયક ભૂમિકામાં છે. આ ફિલ્મ છિલ્લરની યશ રાજ ફિલ્મ્સ સાથેની ત્રણ ફિલ્મના કરારની પહેલી મૂવી છે, જે પછી વિજય કૃષ્ણ આચાર્ય-દિગ્દર્શિત કોમેડી ફિલ્મ છે, જેમાં વિક્કી કૌશલ ભૂમિકામાં છે.

કોરોના સમયગાળા દરમિયાન લોકોના ‘મસિહા’ બની ચુકેલા અભિનેતા સોનુ સૂદ તેમની આગામી ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. અભિનેતાનું કહેવું છે કે તેમણે આ ફિલ્મ માટે તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

g clip-path="url(#clip0_868_265)">