AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma shri Award : પદ્મશ્રી મેળવીને સોનુ નિગમ થયો ભાવુક, માતાને યાદ કરતા કહ્યુ આ

કલાના ક્ષેત્રમાં, સોનુ નિગમે તેની ગાયકી કૌશલ્યથી દેશને ગૌરવ અપાવ્યું, જેના માટે તેને સન્માન મળ્યું, આ સન્માન બાદ સોનુ નિગમે તેની માતા અને તેના ગુરુજીને શ્રેય આપ્યો.

Padma shri Award : પદ્મશ્રી મેળવીને સોનુ નિગમ થયો ભાવુક, માતાને યાદ કરતા કહ્યુ આ
Sonu Nigam becomes emotional remembering his mother after being conferred Padma Shri
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 5:40 PM
Share

બોલિવૂડના લોકપ્રિય ગાયક સોનુ નિગમને (Sonu Nigam) ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી (Padma shri Award) સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ નિગમ ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળવાની ખુશીમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને તેની માતા (શોભા નિગમ) યાદ આવી. કલાના ક્ષેત્રમાં, સોનુ નિગમે તેની ગાયકી કૌશલ્યથી દેશને ગૌરવ અપાવ્યું, જેના માટે તેને સન્માન મળ્યું, સોનુ નિગમે આ ખાસ અવસર પર તેની માતા અને તેના ગુરુજીને શ્રેય આપ્યો. સિંગર સોનુ નિગમે કહ્યું- ’26 જાન્યુઆરી આમ પણ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ખાસ હોય છે. મને આ સન્માન માટે લાયક ગણવા બદલ હું ભારત સરકારનો ખૂબ જ આભારી છું.

તેણે વધુમાં કહ્યું કે તે આ એવોર્ડ તેની માતાના ચરણોમાં સમર્પિત કરવા માંગે છે. સોનુ નિગમે કહ્યું- ‘હું મારી માતાનો આભાર માનું છું. હું મારા પિતાનો આભાર માનું છું. હું આ એવોર્ડ મારી માતાને સમર્પિત કરવા માંગુ છું. જો તે આજે અહીં હોત, તો તેની આંખો ભીની થઇ ગઇ હોત. આ પ્રસંગે, હું મારા ગુરુઓને હાથ જોડીને નમન કરવા માંગુ છું જેમણે મને ઘણું બધું શીખવ્યું. આજે હું જે કંઈ પણ જાણું છું તે તેમના કારણે જ જાણું છું. તેમના આશીર્વાદથી જ હું આજે અહીં છું. મારા મિત્રો, મારા સહકર્મીઓ, તેઓએ મને ખૂબ સપોર્ટ કર્યો, હું તેમનો પણ આભાર માનું છું. તે મારો આધાર બનીને થાંભલાની જેમ મારી પડખે ઊભા રહ્યા.

સોનુ નિગમે બોલિવૂડમાં એકથી એક જોરદાર ગીતો ગાયા છે. હિન્દી સિવાય તેણે બીજી ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. વર્ષ 2003માં સોનુ નિગમને ફિલ્મ કલ હો ના હોના ટાઈટલ માટે નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. સોનુ નિગમે આમિર ખાનની ફિલ્મ પીકેનું ગીત ‘ભગવાન હૈ કહાં તુ’ ગાયું હતું, આ ગીત માટે તેને ચાહકોએ ખૂબ વખાણ્યો હતો. અગ્નિપથનું ગીત ‘અભી મુઝ મેં કહીં’ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય ફિલ્મ કભી ખુશી કભી ગમનું ગીત ‘સૂરજ હુઆ મધ્ધમ’ આજે પણ એક આઇકોનિક ગીત છે.

આ પણ વાંચો –

કેટરીના કૈફે શેર કર્યો Nirbhaya Squadનો વીડિયો, દિલ જીતી લેશે મુંબઇ પોલીસની આ ક્લિપ

આ પણ વાંચો –

73rd Republic Day: મશહૂર ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયે પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકાર, આ કારણે છે નારાજ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">