મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Bappi Lahiri Passes away : જાણીતા સંગીતકાર ગાયક બપ્પી લહેરીનું નિધન થયુ છે. તેઓ 69 વર્ષના હતા. ગયા વર્ષે એપ્રિલમાં, બપ્પી લાહેરીને કોરોના થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.

મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Music compser and singer Bappi Lahiri (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:57 AM

જાણીતા ગીતકાર, સંગીતકાર, ગાયક બપ્પી લહેરીનું (Bappi Lahiri) નિધન થયુ છે. તેઓને મુંબઈ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સંગીતકાર અને ગાયક (Musician and singer) બપ્પી લાહિરીનું આજે મુંબઈની (Mumbai) હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 69 વર્ષના હતા. બપ્પી લાહિરી 1970-80ના દાયકાના અંતમાં કેટલીક ફિલ્મોમાં લોકપ્રિય ગીતો આપ્યા હતા.

ભારત રત્ન લતા મંગેશકરના અવસાનથી સંગીતપ્રેમીઓ હજી આધાતમાંથી બહાર આવ્યા નથી, ત્યાં વધુ એક દિગ્ગજ ગાયક બપ્પી લહેરીનું અવસાન થયું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક ડૉક્ટરને ટાંકીને કહ્યું કે ગાયક-સંગીતકાર બપ્પી લાહેરીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ અનેક રોગોથી પીડિત હતા.

મ્યુઝિક કમ્પોઝર બપ્પી લાહેરીને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી, બપ્પી દાને બેડ રેસ્ટ માટે કહેવામાં આવ્યું હતુ. અને તે પછી તેઓ તેમના ઘરમાં લિફ્ટની સાથે વ્હીલચેર પણ લગાવવામાં આવી હતી. જેથી તેમને વધારે તકલીફ ન પડે. આ સિવાય બપ્પી લાહેરીની પણ ઘણી બીમારીઓની સારવાર ચાલી રહી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગયા વર્ષે એપ્રિલમાં, બપ્પી લાહેરીને કોરોના થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.

2014માં રાજકારણમાં પ્રવેશ્યા હતા

સંગીત ક્ષેત્રે જબરદસ્ત સફળતા હાંસલ કર્યા પછી, લહેરીએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. જો કે તેમને રાજકારણમાં બહુ સફળતા મળી ના હતી. તેઓ 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને પશ્ચિમ બંગાળના શ્રીરામપુર (લોકસભા મતવિસ્તાર) માંથી 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, બપ્પી લહેરી ચૂંટણીમાં હાર્યા હતા.

બપ્પી લહેરીની ખાસ વાત એ છે કે તેમણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આજે બપ્પી લહેરીની વિદાયથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સુનકાર વ્યાપી ગયો છે. ડિસ્કો ડાન્સર, નમક હલાલ, હિમ્મતવાલા અને શરાબી જેવી હિન્દી ફિલ્મોમાં ગાવા ઉપરાંત, બપ્પી દા ‘અરે પ્યાર કર લે’ અને ‘ઓહ લા લા’ જેવા ગીતો માટે પણ જાણીતા છે.

છેલ્લા દાયકામાં, બપ્પી લહેરીએ ધ ડર્ટી પિક્ચરમાંથી ઓ લા લા, ગુન્ડેમાંથી તુને મારી એન્ટ્રી, બદ્રીનાથ કી દુલ્હનિયાના તમ્મા તમ્મા અને શુભ મંગલ જ્યાદા સાવધાનમાંથી હે પ્યાર કર લે જેવા ગીતો ગાયા હતા. તેમણે છેલ્લે 2 વર્ષ પહેલા ફિલ્મ બાગી 3 માટે ગીત કમ્પોઝ કર્યું હતું. જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચોઃ

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : મશહુર બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું નિધન, સિંગરે ‘પદ્મશ્રી’ એવોર્ડ ઠુકરાવ્યો હતો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">