તુનીશા આત્મહત્યા કેસનો આરોપી શીઝાન ખાન આવ્યો જેલની બહાર, બહેને પોસ્ટ કરી આપી માહિતી

ટીવી એક્ટર શીઝાન ખાનને બે મહિના બાદ જામીન મળ્યા છે. ડિસેમ્બર 2022 માં, 21 વર્ષીય અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી.

તુનીશા આત્મહત્યા કેસનો આરોપી શીઝાન ખાન આવ્યો જેલની બહાર, બહેને પોસ્ટ કરી આપી માહિતી
Sheejan Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 5:09 PM

તુનીશા શર્મા આત્મહત્યા કેસના મુખ્ય આરોપી શીઝાન ખાનને કોર્ટે જામીન આપી દીધા છે. જો કે, શીઝાન પર દેશ છોડવા પર પ્રતિબંધ છે. કોર્ટે તેનો પાસપોર્ટ જમા કરાવવા જણાવ્યું છે. તુનીશાએ 24 ડિસેમ્બર 2022ના રોજ શૂટિંગના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તુનીષાની માતાની ફરિયાદના આધારે પોલીસે 25 ડિસેમ્બરે શીઝાનની ધરપકડ કરી હતી. ત્યારથી તે છેલ્લા બે મહિનાથી જેલમાં હતો. આ દરમિયાન તેમના વકીલે ઘણી વખત જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે હંમેશા તે અરજીઓ ફગાવી દીધી હતી.

બે મહિના બાદ શીઝાન જેલમાંથી બહાર આવ્યો

25 ડિસેમ્બર 2022ના રોજ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેણે ઘણી વખત જામીન માટે અરજી કરી હતી. 13 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં વસઈ કોર્ટે શીઝાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી શીજને હાઈકોર્ટનો સંપર્ક કર્યો. 17 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાંથી પણ શીઝાનને રાહત મળી શકી નથી. આ મામલાની તપાસ કરી રહેલી વાલિવ પોલીસે 500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

બહેન ફલક નાઝે ખુશી વ્યક્ત કરી

વસઈ કોર્ટે શીઝાનને એક લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. આ પ્રસંગે શીઝાનના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા, શીઝાનની બહેન ફલક નાઝે લખ્યું, ‘સબ્બે બારાત સે પહેલે જામીન હો ગઈ, રહેમત બરકત કે દિન આ રહે હૈ. અલ્લાહ પાક દરેકને ખુશીઓથી ભરી દે.

View this post on Instagram

A post shared by Falaq Naazz (@falaqnaazz)

તુનીશાએ સેટ પર લગાવી હતી ફાંસી

ટીવી એક્ટર શીઝાન ખાનને બે મહિના બાદ જામીન મળ્યા છે. ડિસેમ્બર 2022 માં, 21 વર્ષીય અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી. તુનિષાએ 24 ડિસેમ્બરે શૂટિંગ સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

તુનીશાએ આત્મહત્યા કર્યાના કલાકો પછી, તેણીની માતાની ફરિયાદના આધારે તેણીના સહ કલાકાર શીઝાન મોહમ્મદ ખાનની 25 ડિસેમ્બરે પોલીસે ધરપકડ કરી હતી. શીઝાન સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો હતો. જણાવી દઈએ કે, શીઝાન અને તુનીષા લગભગ 4 મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અભિનેત્રીની આત્મહત્યાની ઘટનાના 15 દિવસ પહેલા બંનેનું બ્રેકઅપ થયું હતું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">