શાહિદ કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને તેમના લગ્ન પર શુભેચ્છા આપવાનો કર્યો ઇનકાર

Alia Bhatt Marriage : બોલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂરે આલિયા અને રણબીરના લગ્નની આસપાસની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તે સ્ટાર કપલને અભિનંદન આપવાનું હાલ પૂરતું રોકશે.

શાહિદ કપૂરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને તેમના લગ્ન પર શુભેચ્છા આપવાનો કર્યો ઇનકાર
Alia Bhatt & Shahid Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 10:14 PM

બોલીવુડમાં (Bollywood) રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) અફવાવાળા લગ્ન આ મહિનાના અંતમાં યોજાનારા છે અને તે હવે ‘ટોક ઓફ ધ ટાઉન’ મુદ્દો બની ગયો છે. તેમના લગ્નના વેન્યુ, પોશાક, બ્રાઇડલ લહેંગા અને ગેસ્ટ લિસ્ટ સહિત લગ્ન વિશેની અનેક વિગતો સતત બહાર આવતી રહે છે. જો કે, રણબીર અને આલિયા કે અન્ય કોઈ સેલિબ્રિટીએ હજુ સુધી આમાંની કોઈપણ અટકળોની પુષ્ટિ કરી નથી. તાજેતરમાં, શાહિદ કપૂરે (Shahid Kapoor) પણ આ બહુચર્ચિત લગ્ન અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

શાહિદ કપૂર, જે હાલમાં તેની આગામી ફિલ્મ ‘જર્સી’ના (Jersey film) પ્રમોશનમાં વ્યસ્ત છે, તેને પૂછવામાં આવ્યું કે શું તે આલિયા અને રણબીરને તેમના લગ્નની પહેલા તેને કોઈ સંદેશ મોકલવા માંગે છે અથવા ઈચ્છે છે. અભિનેતા, જેણે અગાઉ 2015ની ફિલ્મ શાનદાર અને 2016ની ફિલ્મ ઉડતા પંજાબમાં આલિયા ભટ્ટ સાથે અભિનય કર્યો હતો, તેણે અત્યારે માત્ર અટકળોના આધારે તેણીને અને રણબીરને લગ્નના અભિનંદન આપવાનો ઇનકાર કર્યો હતો.

તેણે ઈન્ડિયા ટુડેને કહ્યું, “જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી હું ટિપ્પણી કરવાનું ટાળું છું. જ્યાં સુધી તે મીડિયાની અટકળો છે, તે એક અનુમાન માત્ર જ છે.”

આ પૂર્વે રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે પણ મીડિયા હાઉસીસનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, ”તેમના લગ્નનો નિર્ણય એ અમારા લોકો કરતા તેમની અંગત જિંદગીનો વધુ છે. અમે તેમને આ બાબતમાં સ્વતંત્રતા આપી છે. અમે તેમની અંગત જિંદગીમાં દખલઅંદાજી કરવા માંગતા નથી.”

રણધીરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, “મને ખબર નથી કે લોકો આલિયા અને રણબીર સાથે આટલી સ્વતંત્રતા કેમ લે છે. તેઓ આરકેના ઘરમાં લગ્ન કરવાના છે? મેં એવું કંઈ સાંભળ્યું નથી. એવું નથી કે હું તેનાથી વાકેફ છું.” તેણે અગાઉ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું હતું કે તેણે લગ્ન વિશે કંઈ સાંભળ્યું નથી. તેણે કહ્યું, “જો અમારા ઘરે આટલા મોટા લગ્ન થઈ રહ્યા હોય, તો કોઈએ ચોક્કસ મને ફોન કરીને જાણ કરી હોત.”

અયાન મુખર્જીની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. તેઓએ તાજેતરમાં વારાણસીમાં એક સિક્વન્સનું શૂટિંગ કર્યા બાદ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું. ટ્રાયોલોજીનો પહેલો ભાગ, જેમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ છે, તે આગામી તા. 09/09/2022ના રોજ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો – શું આલિયા ભટ્ટ ખરેખર ભારતીય નાગરિક નથી ?? અફવાઓ પાછળનું સત્ય જાણો અહીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">