Aryan khan bail : શાહરુખ ખાન ‘મન્નત’થી નીકળી આર્થર રોડ જેલ જવા રવાના

આર્યન ખાન શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવશે. તો શાહરુખ ખાન પણ આર્થર રોડ જેલ જવાના રવાના થયો છે.

Aryan khan bail : શાહરુખ ખાન 'મન્નત'થી નીકળી આર્થર રોડ જેલ જવા રવાના
Shahrukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 8:25 AM

આર્યન ખાન(Aryan khan)  શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવશે. શુક્રવારે નિર્ધારિત સમયમર્યાદામાં તેના જામીનનો હુકમ જેલમાં પહોંચી શક્યો ન હતો.  અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે જેલમાંથી મુક્ત થઈ શકે છે. આર્થર રોડ જેલનું બેલ બોક્સ સવારે 5.30 વાગ્યે ખોલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે જેલમાંથી મુક્ત થઈ જશે.

ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. તો શાહરુખ ખાન પણ આર્થર રોડ જેલ જવાના રવાના થયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આર્યન ખાન 10થી 11 વચ્ચે જેલની બહાર આવી શકે છે.

જામીનની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે આર્યન ખાને શુક્રવારની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડશે. જેલના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન શનિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે જેલમાંથી બહાર આવી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે રિલીઝ ઓર્ડર સમયસર મળી જશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આર્થર રોડ જેલના બેલ બોક્સમાં કેટલા રીલીઝ ઓર્ડર પેન્ડીંગ છે તેના પર પણ આધાર રાખે છે. જો પહેલા કરતા વધુ રીલીઝ ઓર્ડર હોય તો તેમાં થોડો સમય લાગી શકે છે અને જો ઓછા રીલીઝ ઓર્ડર હોય તો તેમાં વધુ સમય લાગતો નથી.

શાહરૂખ ખાનના ઘરે પુત્રની મુક્તિને લઈને ઉત્સવનો માહોલ છે. આર્યનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારથી આખું ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શાહરૂખના ઘરમાં લાઇટથી ઝગમગતા મન્નતના ફોટા પણ સામે આવ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા આર્યન ખાન વતી જામીન બની છે. તેણે પોતે કોર્ટમાં આર્યનના જામીન સંબંધિત કાગળો પર સહી કરી હતી. આર્યનને હાઈકોર્ટે એક લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપ્યા છે. વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું કે જુહી આર્યન ખાનને બાળપણથી જ ઓળખે છે અને પ્રોફેશનલી પણ જોડાયેલ છે. આ પછી ન્યાયાધીશે તેને જામીનપાત્ર તરીકે  સ્વીકારી હતી.

આ પણ વાંચો : Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો, થોડા સમયમાં જેલથી નીકળશે બહાર

આ પણ વાંચો : EPFOએ 6.5 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં PF Interest જમા કર્યું, તમારા ખાતામાં વ્યાજના પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો બેલેન્સ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">