Disha Vakani પરત ફરવા પર અંજલિ ભાભીએ તોડ્યું મૌન, જણાવ્યું આ સત્ય
છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરનાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીઆરપીમાં પણ સૌથી આગળ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બધા જ રોલનો એક અલગ જ અંદાજ છે. છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક બાદ એક કિરદારો શો છોડીને જતા રહ્યા છે.
છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરનાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપીમાં પણ સૌથી આગળ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બધા જ રોલનો એક અલગ જ અંદાજ છે. છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક બાદ એક કિરદારો શો છોડીને જતા રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા દયા ભાભી એટલે કે દિશા વાકાણીની (Disha Vakani) થઇ છે. દિશા એક એવું પાત્ર છે જે અલગ જ અંદાજમાં લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચુકી છે. છેલ્લા ઘણા સમયથી દયા બેન શોમાંથી બહાર છે. લોકો તેના પરત ફરવાને લઈને અલગ-અલગ કચાશ લગાવી રહ્યા છે. આ મામલે શો હવે શોના અંજલીભાભીએ મૌન તોડ્યું છે.
દિશા વાકાણી એટલે કે દયા બેનના શોમાં પરત ફરવાની અટકળ ત્યારથી લગાડવામાં આવી છે જયારે તેને 2017માં શો છોડી દીધો હતો. બાદમાં ખબર આવી હતી કે, મેકર્સ દિશાની જગ્યા બીજા કોઈની શોધ કરી રહ્યા છે.
શોમાં દિશાની બદલે બીજા કોઈને લે છે તો કંઈ નવું નથી. આ પહેલા તો જુના અંજલીભાભી એટલે કે નેહા મહેતાને રિપ્લેસ કરીને સુનૈના ફોજદાર આ રોલ નિભાવી રહી છે. તો શોમાં નવા સોનુ અને નવા સોઢીની એન્ટ્રી થઇ છે. હાલમાં જ સુનૈના ફોજદારે દયાબેનને પરત ફરવાને લઈને મૌન તોડ્યું છે. સુનૈનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, શો અમારા બધાનો છે. આ કોઈ એક કિરદારનો નથી. આ જ શોની ખાસ વાત છે. જો કોઈ રોલ આજે પણ દર્શકો વચ્ચે મશહૂર છે તો તેનો પ્રેમ મળી રહ્યો છે તેનો મતલબ છે કે શો સારો ચાલી રહ્યો છે.
તેમણે કહ્યું કે ટીમ તેના 100 ટકા આપી રહી છે. આ માટે ફક્ત એક જ વ્યક્તિને ક્રેડિટ આપી શકાતી નથી. અહીં કોઈની લીડ નથી. દરેકના મનપસંદ હોય છે. જેના કારણે આ શો હજી પણ ચાલુ છે.
સુનૈના ફોજદારે દયાબેનનાં પરત ફરવા વિશે જણાવ્યું હતું કે આપણે પણ આ બાબતે હું ખુદ જાણવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમારી સાથે હજી સુધી આવી કોઈ વાત સામે આવી નથી.
અંજલિ ભાભીએ કહ્યું કે મને લાગે છે કે અસિત સર આનો જવાબ આપી શકશે, કારણ કે અમે પણ ખુદ જાણવાની ઇચ્છા રાખીએ છીએ. અમે એક-બીજાને ઘણી વાર આ વિષે પૂછતાં હોય છે કે પરંતુ કોઈને ખબર નથી.
જણાવી દઈએ કે દિશાએ 2017 માં મેટરનિટી લીવ માટેના શોમાંથી બ્રેક લીધો હતો. ત્યાર બાદ તે શોમાં પરત ફરી નથી. ‘હે મા માતાજી’ અને ‘ટપ્પુ કે પાપા’ જેવા ડાયલોગ અલગ રીતે બોલીને દર્શકોનો મનોરંજન કરનારી દિશાને ફેન્સ ઘણા યાદ કરી રહ્યા છે.