Armaan Kohli Drugs Case: અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી, કસ્ટડી આટલા દિવસ લંબાવવામાં આવી

બિગ બોસમાં આવીને ફેમસ થયેલો અભિનેતા અરમાન કોહલી હાલમાં ડ્રગ્સ કેસના કારણે ચર્ચામાં છે. અભિનેતા અત્યારે અરમાન કોહલી જેલમાં હવા ખાઈ રહ્યો છે.

Armaan Kohli Drugs Case: અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી, કસ્ટડી આટલા દિવસ લંબાવવામાં આવી
NDPS Court Extends Armaan Kohli Custody Till September 1 in Drugs Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 10:50 AM

તાજેતરમાં બોલિવૂડ અભિનેતા અરમાન કોહલી (Armaan Kohli) અને એક પેડલર અજય સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી છે. એનડીપીએસની વિશેષ અદાલતે તેની કસ્ટડી 1 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે અરમાનને હવે વધુ પૂછપરછ કરવામાં આવશે.

અભિનેતા અરમાન કોહલીની 28 ઓગસ્ટના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એનડીપીએસ એક્ટ હેઠળ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. અરમાનની ધરપકડ કરતા પહેલા એનસીબીએ તેના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

કસ્ટડીમાં મોકલ્યો અભિનેતાને

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમને જણાવી દઈએ કે અરમાન અને પેડલર બંનેને NCB દ્વારા NDPS ની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે સુનાવણી બાદ તેમને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતો. આવી સ્થિતિમાં સોમવારે એનસીબીએ કોર્ટમાં અરમાનને રજૂ કરતી વખતે કસ્ટડી વધારવાની માંગ કરી હતી.

એનસીબીનું કહેવું છે કે તેમને અભિનેતાના ઘરેથી એક ગ્રામથી વધુ કોકેન મળી છે અને તેમને પૂછપરછ માટે બંનેને કસ્ટડીમાં રાખવાની જરૂર છે. આ પછી જ અભિનેતાને હવે 1 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. હાલ માટે એવું લાગે છે કે અરમાન આ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવી શકે છે.

જણાવી દઈએ કે અરમાનની NCB દ્વારા સંબંધિત નિયમો હેઠળ ડ્રગ્સ રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદે ધિરાણ અને આરોપીઓને સુરક્ષા આપવાનો પણ આરોપ છે. સમાચારો અનુસાર આ કેસમાં એક સપ્લાયરે જ અરમાન કોહલીનું નામ આપ્યું હતું.

અરમાન કોહલી કોણ છે

અરમાન કોહલી બોલિવૂડ જાણીતા નિર્માતા-નિર્દેશક રાજકુમાર કોહલીનો પુત્ર છે. અરમાને પોતાની કારકિર્દીની શરૂઆત 1992 માં ફિલ્મ વિરોધીથી કરી હતી. તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે અરમાનની ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહોતી. આ પછી, તે 2002 ની મલ્ટીસ્ટારર જાની દુશ્મન – એક અનોખી કહાની હૈ માં તે જોવા મળ્યો હતો.

બિગ બોસમાં પહોંચ્યા બાદ અરમાન ફરી ફિલ્મો બાદ ચર્ચામાં આવ્યો. શોના અંતમાં પહોંચેલા અરમાન શોમાં કાજોલની બહેન તનિષાની નજીક આવી ગયો હતો. બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જોકે, ઘરની બહાર આવ્યા બાદ તનિષાએ અરમાનથી પોતાની જાતને દૂર કરી. તમને જણાવી દઈએ કે અરમાન છેલ્લે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયોમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Video: સલમાન ખાનની પાછળ પાછળ તુર્કી પહોંચી આ હિરોઈન! ફેન્સે કહ્યું ‘કંઈક તો રંધાઈ રહ્યું છે’

આ પણ વાંચો: Bigg Boss OTT: પ્રેમ, બલિદાન, અને આંસુથી ભરેલું રહ્યું નોમિનેશન, જાણો વિગત અને જુઓ ઇમોશનલ તસ્વીરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">