AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kottayam Pradeep : મલયાલમ અભિનેતા કોટ્ટાયમ પ્રદીપનુ નિધન, 61 વર્ષની વયે દુનિયાને કહી દીધુ અલવિદા

અભિનેતા કોટ્ટાયમ પ્રદીપે 17 ફેબ્રુઆરીની સવારે 61 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કોટ્ટાયમ પ્રદીપનું હાર્ટ એટેકને કારણે નિધન થયુ છે.

Kottayam Pradeep : મલયાલમ અભિનેતા કોટ્ટાયમ પ્રદીપનુ નિધન, 61 વર્ષની વયે દુનિયાને કહી દીધુ અલવિદા
Kottayam Pradeep Passed away (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 12:16 PM
Share

Kottayam Pradeep Passed Away : સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી (South Industry) એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય મલયાલમ અભિનેતા કોટ્ટયમ પ્રદીપનું (Kottayam Pradeep) નિધન થયું છે. અભિનેતાએ 17 ફેબ્રુઆરીની સવારે 61 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે, કોટ્ટાયમ પ્રદીપનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. કોટ્ટયમ પ્રદીપના આકસ્મિક નિધનથી હાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પૃથ્વીરાજ સુકુમારે તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટથી આ સમાચાર શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી.

અચાનક અભિનેતાની છાતીમાં દુખાવો થવા લાગ્યો

પ્રદીપને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. તે સમયે અભિનેતા કેરળના (kerala) કોટ્ટાયમમાં હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તેની માહિતી હજુ સામે આવી નથી. અભિનેતાના મૃત્યુના સમાચારથી હાલ ચાહકો અને સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકો અભિનેતાને શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરી રહ્યા છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ

અભિનેતા પ્રદીપને યાદ કરતા પૃથ્વીરાજ સુકુમારને ટ્વિટર પર લખ્યુ કે, ‘રેસ્ટ ઇન પીસ(RIP) પ્રદીપ.’ અભિનેતાના મૃત્યુના સમાચાર સાંભળીને ડાયરેક્ટર જ્હોન મહેન્દ્રને એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું ‘મલયાલમ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ નેચરલ અભિનેતા હવે નથી રહ્યા.’ તમને જણાવી દઈએ કે, પ્રદીપે વર્ષ 2001માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેઓ ફિલ્મોમાં કોમેડી ભૂમિકાઓ ભજવતા હતા.

તેણે મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી એક અલગ છાપ છોડી

મલયાલમ અભિનેતાએ અત્યાર સુધીમાં 70 ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમની પ્રથમ ફિલ્મ હતી Ee Nadu Enale Vare. આ ફિલ્મમાં તેમના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. દિગ્દર્શક ગૌતમ મેનનની વિનૈતાંદી વરુવાયામાં પણ તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેતાએ ‘ઓરુ વદક્કન સેલ્ફી’, (Oru Vadakkan Selfie) કુંજીરામાયનમ, આડુ ઓરુ ભીગરાજીવાનુ (Aadu Oru Bheegara Jeevi Aanu), જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

આ પણ વાંચો : બાળક થયા બાદ અભિનેતાએ કહ્યું, અમારા લગ્ન થઈ ગયા છે, રામપાલ-ગેબ્રિયલાએ લગ્ન પહેલા ઉઠાવ્યું મોટું પગલું

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">