Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલવિદા પિલ્લઈ : દિગ્ગજ મલયાલમ અભિનેતા જીકે પિલ્લઈનું થયુ નિધન, ચાહકોમાં શોકની લહેર

જીકે પિલ્લઈએ સિનેમામાં જોડાતા પહેલા 13 વર્ષ સેનામાં સેવા આપી હતી. તેમના કાર્યકાળ પછી જ્યારે તેઓ ભારતીય સેના અને નૌકાદળમાંથી નિવૃત્તિ લઈને પાછા ફર્યા, ત્યારે તેમણે ફિલ્મ અને ટેલિવિઝનમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

અલવિદા પિલ્લઈ : દિગ્ગજ મલયાલમ અભિનેતા જીકે પિલ્લઈનું થયુ નિધન, ચાહકોમાં શોકની લહેર
Malayalam Actor GK Pillai passed away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 2:14 PM

G K Pillai Death : મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Malayalam Film Industry) આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા જીકે પિલ્લઈનું 97 વર્ષની વયે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, તે ઉંમર સંબધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા. જીકે પિલ્લઈનુ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું અને મલયાલમ સિનેમાને પોતાની પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં ઓળખાવી. જીકેએ મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

13 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી

પિલ્લઈએ સિનેમામાં જોડાતા પહેલા 13 વર્ષ સુધી સેનામાં સેવા આપી હતી. જ્યારે તેઓ તેમના કાર્યકાળ બાદ ભારતીય સેના અને નૌકાદળમાંથી નિવૃત્તિ લઈને પાછા ફર્યા, ત્યારે તેમણે મલયાલમ ફિલ્મ અને ટેલિવિઝનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી. પિલ્લઈ મલયાલમ સિનેમામાં તેમની ખલનાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા. તેણે લગભગ 300 ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેમણે રાજ્યના પરંપરાગત લોકગીતો પર આધારિત નાટકોમાં પણ ભાગ ભજવ્યો હતો.

ખલનાયકની ભૂમિકાઓએ તેમને મોટી ઓળખ આપી

તિરુવનંતપુરમના વર્કલામાં જન્મેલા પિલ્લઈએ 1954માં સ્નેહસીમા ફિલ્મમાં કામ કરીને મલયાલમ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજને કર્યું હતું. પિલ્લઈ મલયાલમ સિનેમામાં 1980ના દાયકામાં ખૂબ જ સક્રિય હતા. બાદમાં 1990 સુધીમાં, તે અચાનક ગાયબ થઈ ગયા. ત્યારબાદ તેણે 2000 માં અભિનયની બીજી ઇનિંગ શરૂ કરી હતી. તેની લોકપ્રિય ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘અશ્વમેધમ’, ‘અરોમાલુની’, ‘ચોલા’, ‘અન્નકલરી’ અને ‘કાર્યસ્થાન’નો સમાવેશ થાય છે.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

ટેલિવિઝનની દુનિયામાં પણ તેઓ ખૂબ જ લોકપ્રિય હતા

જીકે પિલ્લઈનુ ટેલિવિઝન જગતમાં પણ સારૂ નામ હતુ. તેણે 2004 માં હોરર સોપ ‘કદમથુ કથનાર’ શો સાથે ટેલિવિઝન દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જો અહેવાલોનુ માનીએ તો તેમના અંતિમ સંસ્કાર એક દિવસ પછી તેમના વતનમાં કરવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ સમારોહમાં ફિલ્મ અને ટેલિવિઝનની સિતારાઓ હાજર રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : શું ફરીથી ખુલશે થિયેટર ? કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
g clip-path="url(#clip0_868_265)">