અલવિદા પિલ્લઈ : દિગ્ગજ મલયાલમ અભિનેતા જીકે પિલ્લઈનું થયુ નિધન, ચાહકોમાં શોકની લહેર

જીકે પિલ્લઈએ સિનેમામાં જોડાતા પહેલા 13 વર્ષ સેનામાં સેવા આપી હતી. તેમના કાર્યકાળ પછી જ્યારે તેઓ ભારતીય સેના અને નૌકાદળમાંથી નિવૃત્તિ લઈને પાછા ફર્યા, ત્યારે તેમણે ફિલ્મ અને ટેલિવિઝનમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

અલવિદા પિલ્લઈ : દિગ્ગજ મલયાલમ અભિનેતા જીકે પિલ્લઈનું થયુ નિધન, ચાહકોમાં શોકની લહેર
Malayalam Actor GK Pillai passed away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 2:14 PM

G K Pillai Death : મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Malayalam Film Industry) આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા જીકે પિલ્લઈનું 97 વર્ષની વયે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, તે ઉંમર સંબધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા. જીકે પિલ્લઈનુ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું અને મલયાલમ સિનેમાને પોતાની પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં ઓળખાવી. જીકેએ મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

13 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી

પિલ્લઈએ સિનેમામાં જોડાતા પહેલા 13 વર્ષ સુધી સેનામાં સેવા આપી હતી. જ્યારે તેઓ તેમના કાર્યકાળ બાદ ભારતીય સેના અને નૌકાદળમાંથી નિવૃત્તિ લઈને પાછા ફર્યા, ત્યારે તેમણે મલયાલમ ફિલ્મ અને ટેલિવિઝનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી. પિલ્લઈ મલયાલમ સિનેમામાં તેમની ખલનાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા. તેણે લગભગ 300 ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેમણે રાજ્યના પરંપરાગત લોકગીતો પર આધારિત નાટકોમાં પણ ભાગ ભજવ્યો હતો.

ખલનાયકની ભૂમિકાઓએ તેમને મોટી ઓળખ આપી

તિરુવનંતપુરમના વર્કલામાં જન્મેલા પિલ્લઈએ 1954માં સ્નેહસીમા ફિલ્મમાં કામ કરીને મલયાલમ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજને કર્યું હતું. પિલ્લઈ મલયાલમ સિનેમામાં 1980ના દાયકામાં ખૂબ જ સક્રિય હતા. બાદમાં 1990 સુધીમાં, તે અચાનક ગાયબ થઈ ગયા. ત્યારબાદ તેણે 2000 માં અભિનયની બીજી ઇનિંગ શરૂ કરી હતી. તેની લોકપ્રિય ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘અશ્વમેધમ’, ‘અરોમાલુની’, ‘ચોલા’, ‘અન્નકલરી’ અને ‘કાર્યસ્થાન’નો સમાવેશ થાય છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ટેલિવિઝનની દુનિયામાં પણ તેઓ ખૂબ જ લોકપ્રિય હતા

જીકે પિલ્લઈનુ ટેલિવિઝન જગતમાં પણ સારૂ નામ હતુ. તેણે 2004 માં હોરર સોપ ‘કદમથુ કથનાર’ શો સાથે ટેલિવિઝન દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જો અહેવાલોનુ માનીએ તો તેમના અંતિમ સંસ્કાર એક દિવસ પછી તેમના વતનમાં કરવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ સમારોહમાં ફિલ્મ અને ટેલિવિઝનની સિતારાઓ હાજર રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : શું ફરીથી ખુલશે થિયેટર ? કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">