Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ફરીથી ખુલશે થિયેટર ? કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ

ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે.

શું ફરીથી ખુલશે થિયેટર ?  કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ
karan johar requested to the delhi government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 12:25 PM

Delhi : કોરોનાની બીજી લહેર બાદ દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ (Corona Case) વધવા લાગ્યા છે. જેને કારણે કોરોના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ (Night curfew) પણ લાદવામાં આવ્યો છે. તેની અસર સિનેમાઘરો પર પણ પડી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સિનેમાઘરો બંધ કરવાની જાહેરાત કરી છે. જે બાદ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Film Industry)  હલચલ મચી ગઈ છે.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર દિલ્હી સરકારને (Delhi Government) કોરોના પ્રોટોકોલ હેઠળ ફિલ્મ થિયેટર ખોલવાની અપીલ કરી છે. કરણ જોહરે ટ્વિટ કરીને દિલ્હી સરકારને સિનેમા હોલ ખોલવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમે દિલ્હી સરકારને અપીલ કરીએ છીએ કે સિનેમા હોલ ખોલવામાં આવે. સિનેમા હોલની બહાર કોરોના પ્રોટોકોલ જાળવવા માટે વધુ સારી વ્યવસ્થા છે. તેણે આ ટ્વીટમાં દિલ્હી સરકાર અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Kejriwal) ટેગ કર્યા છે.

ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?
Mangoes For Mughal : મુઘલો માટે કેરી ક્યાંથી આવતી?
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની પત્નીએ જાહેર કર્યું એક ઈનામ
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં નોકરી કેવી રીતે મળે?

શાહિદ કપૂરની આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદીને સિનેમાઘરોમાં 50% દર્શક ક્ષમતાનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ દિલ્હી સરકારે સિનેમાઘરોને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ જર્સીની (Jersey Movie) રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક એવી જગ્યા છે જ્યાંથી બોલિવૂડની ફિલ્મો તગડી કમાણી કરે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મેકર્સને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.જેથી હાલ ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી રહી છે.

વરુણ અને કૃતિએ પણ થિયેટર એસોસિએશનને ટેકો આપ્યો

તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારના આ નિર્ણય બાદ થિયેટર એસોસિએશનના(Theatre Association)  લોકો મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉપરાંત  બોલિવૂડના ઘણા કલાકારો આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એક દિવસ પહેલા વરુણ ધવન અને કૃતિ સેનને મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની દિલ્હી સરકારને આ નવા નિયમ પર પુનર્વિચાર કરવા અને તેને કોરોના પ્રોટોકોલ હેઠળ મંજૂરી આપવાની અપીલને સમર્થન આપ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે સંતુલન સાધે છે કે કેમ..?

આ પણ વાંચો : પ્રેગ્નેન્ટ ભારતી સિંહે જણાવ્યું કયારે ગુંજી ઉઠશે કિલકારી ? તો એક સવાલના જવાબમાં કહ્યું કે, આખરે બધાને મામા બનાવી દીધા

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">