‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો ઈનકાર, અજિત પવારે કહ્યું- પહેલા GSTમાં છૂટ આપે મોદી સરકાર

અજિત પવારે કહ્યું કે શા માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' મહારાષ્ટ્રમાં જ ટેક્સ ફ્રી હોવી જોઈએ. આ ફિલ્મ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરમુક્ત હોવી જોઈએ. જો કેન્દ્રની મોદી સરકાર ઈચ્છે તો તે કરી શકે છે.

'ધ કાશ્મીર ફાઈલ્સ'ને ટેક્સ ફ્રી કરવાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો ઈનકાર, અજિત પવારે કહ્યું- પહેલા GSTમાં છૂટ આપે મોદી સરકાર
PM Narendra Modi & Ajit Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:27 PM

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને (The Kashmir Files) કરમુક્ત બનાવવાની ભાજપની માંગ પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે ભાજપના 92 ધારાસભ્યોએ સહી કરીને સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી હતી. બુધવારે (16 માર્ચ) મહારાષ્ટ્ર વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે આ માંગને ફગાવી દીધી હતી. અજિત પવારે (Ajit Pawar) કહ્યું કે શા માટે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મહારાષ્ટ્રમાં જ ટેક્સ ફ્રી હોવી જોઈએ. આ ફિલ્મ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરમુક્ત હોવી જોઈએ. જો કેન્દ્રની મોદી સરકાર (PM Modi Government of BJP) ઈચ્છે તો તે કરી શકે છે.

અજિત પવારે વધુમાં કહ્યું કે જે જીએસટી દ્વારા ટેક્સ કલેક્શન  થાય છે. તેનો એક ભાગ એસજીએસટીના (SGST) રૂપમાં રાજ્ય સરકારને મળે છે અને બીજો ભાગ સીજીએસટીના (CGST) રૂપમાં કેન્દ્ર સરકારને જાય છે. જો કેન્દ્રની મોદી સરકાર ઈચ્છે તો સીજીએસટીમાં છૂટ આપીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દેશભરમાં ટેક્સ ફ્રી બનાવી શકે છે.

આઘાડી સરકાર કોંગ્રેસના દબાણમાં છે, ફડણવીસે કર્યો પ્રહાર

પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર કોંગ્રેસના દબાણમાં કામ કરી રહી છે. એટલા માટે કાશ્મીર ફાઈલને કરમુક્ત બનાવી રહી નથી. બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા અને ઉદ્ધવ ઠાકરેના વ્યવહારમાં ઘણો ફરક છે. જો દેશનું સત્ય બહાર આવી રહ્યું છે તો તેઓને મરચા કેમ લાગી રહ્યા છે ? વાસ્તવમાં ઠાકરે સરકાર કોંગ્રેસના દબાણમાં કામ કરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શિવસેનાથી વધારે કોને ખબર છે પંડિતોનું દર્દ – રાઉત

આ પહેલા બુધવારે સવારે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર કોઈ વિવાદ નથી. પરંતુ જે રીતે ભાજપ દ્વારા લોકોને બોલાવીને સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે. પીએમ મોદી પોતે તેના પ્રચારક બની ગયા છે, આ રાજકીય એજન્ડા સામે વાંધો છે. જ્યારે બાકીના લોકો આતંકીઓના ડરથી પોતાના ઘરોમાં બેસી ગયા હતા, ત્યારે બાળાસાહેબ ઠાકરે દેશમાં એકમાત્ર એવા નેતા હતા જેમણે કાશ્મીરી પંડિતોનું દર્દ સમજ્યું અને તેમને એકે 47 સોંપવાની માંગ કરી. તેમના બાળકોને મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સિવાય કાશ્મીરી પંડિતો માટે અન્ય રાજ્યએ શું કર્યું છે?

તમે શું હતા, હવે શું છો, બેસીને વિચારો ક્યારેક – ફડણવીસ

આ અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, સંજય રાઉત શું સત્ય જાણે છે? તેઓ ક્યારે કાશ્મીર ગયા? એ જમાનો હતો બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો અને આ એક અલગ જ શિવસેનાનો યુગ છે. અરે ક્યારેક બેસીને વિચારો, તમે શું હતા અને શું બની ગયા છો અત્યારે.

આ પણ વાંચો : ‘ભારત 2024 સુધીમાં અમેરિકા સાથે બરાબરી કરશે’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, રાજ્યસભામાં જણાવી આગામી બે વર્ષની યોજના

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">