Khoya Khoya Chand : Kirron Kher એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને રાખ્યો હતો રાજકારણમાં પગ, હવે બ્લડ કેન્સરથી લડી રહ્યા છે જંગ

કિરણ ખેરે ફિલ્મી કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ આસરા પ્યારથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મ સરદારી બેગમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Khoya Khoya Chand : Kirron Kher એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને રાખ્યો હતો રાજકારણમાં પગ, હવે બ્લડ કેન્સરથી લડી રહ્યા છે જંગ
Kirron Kher
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 9:39 PM

બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જે એક અભિનેતા હોવાની સાથે એક સારા રાજનેતા પણ છે. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયા છે અને હવે રાજકારણમાં પણ નામ કમાઈ રહ્યા છે. આજે અમે તમને એક અભિનેત્રીની સાથેસાથે રાજકારણી પણ છે તેવા કિરણ ખેર (Kirron Kher) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે હાલમાં બ્લડ કેન્સર સામે લડી રહ્યા છે.

પંજાબમાં જન્મેલા કિરણ ખેરે ગ્રેજ્યુએશન ચંદીગઢથી કર્યું હતું. અભ્યાસ દરમિયાન જ કિરણનું મન અભિનય તરફ હતું. સ્નાતક થયા પછી, તેઓ ચંદીગઢનાં થિયેટરમાં જોડાય ગયા હતા. જે બાદ તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ આસરા પ્યારથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મ સરદારી બેગમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

માતાના પાત્ર દ્વારા જીત્યું દિલ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કિરણ ખેરે મોટા ભાગની ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. કિરણે સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali) ની ફિલ્મ દેવદાસમાં ઐશ્વર્યા રાય (Aishwarya Rai) ની માતાની ભૂમિકા ભજવી હતી. આ પાત્રથી તેમને બોલિવૂડમાં એક અલગ ઓળખ મળી હતી. આ પછી, તે વીર-ઝારા, ઓમ શાંતિ ઓમ, હમ-તુમ, રંગ દે બસંતી જેવી ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને દરેક વખતે તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કર્યું કામ

બોલિવૂડ ઉપરાંત કિરણ ખેર ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેમણે પ્રતિમા ગુબ્બારે, ઈસી બહાને જેવા ડેલી સોપમાં કામ કર્યું. આ સિવાય તે રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ (India’s Got Talent) ને પણ જજ કરી ચુક્યા છે.

રાજકારણમાં બનાવી ઓળખ

મનોરંજન ઉદ્યોગમાં નામ કમાવ્યા પછી, કિરણ ખેરે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. તેમણે વર્ષ 2009 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2019 માં, કિરણ ખેર ચંદીગઢથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા.

બ્લડ કેન્સરથી પીડાય છે

કિરણ ખેર હાલમાં બ્લડ કેન્સર સાથેની લડત લડી રહ્યા છે. કિરણ ખેરના પતિ અનુપમ ખેર (Anupam Kher) તેમની હેલ્થની અપડેટ ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા આપતા રહે છે. કિરણજીના પુત્રએ તાજેતરમાં જ તેના વીડિયોમાં કિરણ ખેરની ઝલક પણ બતાવી હતી.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">