AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 13: અમિતાભ બચ્ચનનું કાંડુ ચેક કરીને કોઈ નથી જણાવી શક્તુ તેમની પલ્સ રેટ, જાણો તેના પાછળનું કારણ

'કૌન બનેગા કરોડપતિ 13'ની આ સીઝન TRP રેટિંગમાં ઘણી સફળ રહી છે. આ શોના દરેક એપિસોડમાં દર્શકોને અમિતાભ બચ્ચન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે.

KBC 13: અમિતાભ બચ્ચનનું કાંડુ ચેક કરીને કોઈ નથી જણાવી શક્તુ તેમની પલ્સ રેટ, જાણો તેના પાછળનું કારણ
Amitabh Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 10:47 PM
Share

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ના(Kaun Banega Crorepati 13) મંગળવારના એપિસોડમાં સિરિયલ ‘ધડકન જિંદગી કી’માં ડૉક્ટર દીપિકાનું પાત્ર ભજવતી ટીવી અભિનેત્રી અદિતિ ગુપ્તા (Additi Gupta) હોટસીટ પર બેઠી હતી. આ દરમિયાન, તેણે બિગ બીને વિનંતી કરી કે તે તેમનો પલ્સ રેટ તપાસવા માંગે છે. અદિતિ વ્યવસાયે અભિનેત્રી છે, પરંતુ હાલમાં સિરિયલમાં ભજવી રહેલા ‘દીપિકા’ના પાત્ર માટે તેણે મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલી કેટલીક બાબતો શીખી છે અને તેમાંથી એક પલ્સ રેટ ચેક કરવાની છે.

જ્યારે અદિતિએ અમિતાભ બચ્ચનનો હાથ તેના પલ્સ રેટ જોવા માટે તેના હાથમાં લીધો, ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે તેના કાંડાની ‘વિન્ડ પાઈપ’ વડે કોઈ ધબકારાને અનુભવી ન શકી. અદિતિને આશ્ચર્યમાં જોઈને અમિતાભ બચ્ચને તેની પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે 1982માં ‘કુલી’ના સેટ પર એક્શન કરતી વખતે મારો અકસ્માત થયો હતો. મારી સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ડૉક્ટરોએ મને ‘ક્લિનિકલ ડેડ’ જાહેર કર્યો હતો.

અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે ‘ક્લીનીકલી ડેડ’ જાહેર કર્યા બાદ તેમને ફરીથી જીવિત કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના શરીરમાંથી ઘણી વસ્તુઓ કપાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં દર અડધા કલાકે અમિતાભ બચ્ચનના કાંડામાંથી લોહી કાઢવામાં આવતું હતું અને તેનો ટેસ્ટ કરવામાં આવતો હતો. કાંડા કપાવાને કારણે તેમની નાડી બંધ થઈ ગઈ હતી. અત્યારે તેમના ગળામાંથી પલ્સ રેટ ચેક કરવામાં આવે છે. આ વાત કહ્યા બાદ અમિતાભ બચ્ચને મજાકમાં અદિતિને કહ્યું કે પણ હું તને મારા ગળાને સ્પર્શવા નહીં દઉં.

આ પહેલા પણ કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં અમિતાભ બચ્ચને તેમના પલ્સ રેટ વિશે એક રમુજી ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે “હું ઘણી વખત મારી નાડી તપાસવાને લઈને અન્ય લોકો સાથે મજાક કરું છું અને પછી જ્યારે તેઓ તેને શોધી શકતા નથી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થાય છે અથવા ગભરાઈ જાય છે. મને તે ક્યારેક રમુજી લાગે છે.” જ્યારે અમિતાભ બચ્ચનને કોરોના પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની સંભાળ રાખતી નર્સ પલ્સ ચેક કરતા ઘણી વાર ગભરાઈ જતી હતી.

આ પણ વાંચો – Omicron: ઓમિક્રોનની આફત વચ્ચે આવ્યો નવો અભ્યાસ, સંશોધકોએ શોધી કાઢ્યો કોરોના રસીની અસર વધારવાનો રસ્તો

આ પણ વાંચો – Ahmedabad: એક જ ઘરના બે ભાઈ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને આ રીતે લગાવ્યો લાખોનો ચૂનો!

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">