AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એક જ ઘરના બે ભાઈ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને આ રીતે લગાવ્યો લાખોનો ચૂનો!

Ahmedabad: નારોલ વિસ્તારમાં રહેતા વેપારીએ એક જ ઘરના બે ભાઈઓ અને તેમની પત્નીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: એક જ ઘરના બે ભાઈ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને આ રીતે લગાવ્યો લાખોનો ચૂનો!
Complaint of fraud against two brothers of the same household and their wives
Darshal Raval
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:26 PM
Share

Ahmedabad: નારોલ વિસ્તારમાં રહેતા વેપારીએ એક જ ઘરના બે ભાઈઓ અને દેરાણી જેઠાણી સામે છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો એક જ ઘરમાં રહેતા ચાર સભ્યોએ વેપારી પાસેથી ૭૨ લાખ રૂપિયાનો કાપડનો માલ સામાન ખરીદયો હતો અને તે પણ બે અલગ અલગ કંપનીના નામે.

સૌથી પહેલા 15 લાખ રૂપિયાનો કાપડનો સામાન ખરીદ્યો હતો વેપારીને વિશ્વાસ આવે તે માટે અને 15 લાખ રૂપિયા વેપારીને ચૂકતે કરી દીધા અને ત્યાર બાદ બીજા ૫૮ લાખ રૂપિયાનો માલ મંગાવી પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરીને ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા છે.

નારોલ પોલીસે અરુણકુમાર ચૌધરી , મંજુદેવી અરુણ કુમાર ચૌધરી , રાજેશ ચૌધરી , અને ભાવના ચૌધરી સામે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી હતી. તો વેપારીએ છેતરપીંડી થયા બાદ ફરિયાદ નોંધાવ્યા બાદ એક જ પરિવારના ચાર લોકોની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.

પરંતુ ફરિયાદીને તપાસ યોગ્ય થતી ન હોવાનું લાગતા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનના અધિકારી આ સમગ્ર કેસની તપાસ કરે. અને તેને લઈને આ સમગ્ર કેસની તપાસ નારોલ પોલીસ પાસેથી લઈને વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ ચલાવી રહ્યા છે.

વટવા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ સામે અગાઉ પણ છેતરપિંડીની બે થી ત્રણ અરજીઓ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ભાગેડુ આ ચારે ને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Photos: દિલીપ જોશીની દિકરી નિયતિએ કર્યુ કઈંક એવું કે, સોશિયલ મીડિયામાં લોકો કરવા લાગ્યા વખાણ

આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં યુવરાજ સિંહનું સરકારને અલ્ટીમેટમ, કર્યા ચોંકાવનારા આક્ષેપો!

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">