AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘તખ્ત’ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ

આ ફિલ્મ વિશે એવી અફવાઓ પણ હતી કે આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ હવે કરણ જોહરે (Karan Johar) તેની ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે. કરણ જોહરે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ તેના દિલની ખૂબ નજીક છે.

Karan Joharએ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'તખ્ત' વિશે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે થશે રિલીઝ
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:53 PM
Share

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર (Karan Johar)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ તખ્ત (Takht)ની જાહેરાત થયાને બે વર્ષ થઈ ગયા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ માર્ચ 2020માં ફ્લોર પર જશે, પરંતુ કોરોનાના કારણે કરણ જોહરનો આ પ્રોજેક્ટ અટકી ગયો.

આ ફિલ્મ કરણના દિલની ખૂબ નજીક છે

આ ફિલ્મ વિશે એવી અફવાઓ પણ હતી કે આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે, પરંતુ હવે કરણ જોહરે તેની ફિલ્મ વિશે મોટી જાહેરાત કરી છે. કરણ જોહરે ખુલાસો કર્યો કે આ ફિલ્મ તેમના દિલની ખૂબ જ નજીક છે અને તે તેને જલ્દી પૂર્ણ કરશે. તેમણે ફિલ્મ ‘તખ્ત’ની તુલના તેમની પ્રખ્યાત ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ સાથે કરી.

આ પરથી અંદાજ લગાવી શકાય છે કે કરણ જોહર માટે આ ફિલ્મનો અર્થ શું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અમે શુટિંગ 24મી એપ્રિલથી શરુઆત કરવાના હતા, પરંતુ આપણા દેશમાં કોરોના મહામારીએ દસ્તક આપી હતી, જેના કારણે આ ફિલ્મ બનાવવામાં વિલંબ થયો. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મોટા બજેટની ફિલ્મ છે અને તેના સેટ પર હજારો લોકોની જરૂર પડશે.

પીરિયડ ફિલ્મ હૈ તખ્ત

ફિલ્મ પર વાત કરતા કરણ જોહરે કહ્યું કે તે એક પીરિયડ ફિલ્મ છે જે મુઘલ કાળ પર આધારિત હશે. આ એક પારિવારિક ફિલ્મ હશે જે મુઘલ કાળ દરમિયાન એક પરિવારના સંબંધો પર આધારિત હશે. તેણે કહ્યું કે હું રોકી ઔર રાની બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો, પરંતુ ‘તખ્ત’નું નિર્માણ તેમના માટે એક જુનૂન જેવું છે. તેમણે કહ્યું કે તમે તમારા જુનૂનથી ભાગી શકતા નથી.

રોકી ઔર રાની તરીકેનો તેમનો ઉત્સાહ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના જુનૂન તરફ પાછા આવશે. આ ફિલ્મ મુઘલ કાળ દરમિયાન સિંહાસન પર ઔરંગઝેબ અને તેના ભાઈ દારાશિકોહ વચ્ચેના સંબંધ પર આધારિત હશે. આ ફિલ્મે તેની સ્ટારકાસ્ટને કારણે ઘણી ચર્ચાઓ મેળવી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર (Anil Kapoor), કરીના કપૂર (Kareena Kapoor), રણવીર સિંહ (Ranveer Singh), વિક્કી કૌશલ (Vicky Kaushal), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને જ્હાનવી કપૂર (Janhvi Kapoor) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

આ પણ વાંચો :- તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">