AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumarએ પિતાના ફૂટ સ્ટેપ્સને કર્યા ફોલો, દાન કરી પોતાની આંખો

પુનીત ઘણા ઉમદા કાર્યો કરતા હતા. તેઓ 26 અનાથાશ્રમ, 46 મફત શાળાઓ, 16 ગૌશાળાઓ સાથે તેઓ 1800 બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળતા હતા.

Puneeth Rajkumarએ પિતાના ફૂટ સ્ટેપ્સને કર્યા ફોલો, દાન કરી પોતાની આંખો
kannada star Puneeth Rajkumar Follows Father's Footsteps, Donates his Eyes
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:46 AM
Share

સાઉથનો સુપરસ્ટાર (South Super Star) પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો છે. પુનીતનું 29 ઓક્ટોબરે 46 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુનીતના મૃત્યુથી સાઉથથી લઈને બોલિવૂડ સુધીની આખી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. પુનીત તેના પિતાના પગલે ચાલ્યા છે.

પુનીતના પિતાની જેમ તેની આંખો પણ દાન કરવામાં આવી છે. 1994માં પુનીતના પિતા ડૉ.રાજકુમારે સમગ્ર પરિવારની આંખો દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વર્ષ 2006માં આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી. 12 એપ્રિલે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

અભિનેતા ચેતન કુમાર અહિંસાએ પુનીતના નેત્રદાન વિશે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું- જ્યારે હું અપ્પુ સરને મળવા હોસ્પિટલ ગયો હતો ડોક્ટરોની ટીમે છ કલાકમાં તેમની આંખો કાઢી લીધી. જે રીતે ડો.રાજકુમાર અને નિમ્મા શિવન્નાએ આંખોનું દાન કર્યું હતું. અપ્પુ સાહેબે પણ એવું જ કર્યું. અમે અપ્પુ સરની યાદમાં અમારી આંખોનું દાન કરવાનો સંકલ્પ પણ લઈએ છીએ.

તમને જણાવી દઈએ કે પુનીત ઘણા ઉમદા કાર્યો કરતા હતા. તેઓ 26 અનાથાશ્રમ, 46 મફત શાળાઓ, 16 ગૌશાળાઓ સાથે તેઓ 1800 બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળતા હતા.

પુનીત શુક્રવારે જિમમાં વર્કઆઉટ કરવા ગયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત અત્યંત ગંભીર હતી. ડૉક્ટરોએ તેમની સારવાર કરી, પરંતુ થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકનું મોજુ ફરી વળ્યું હત. પુનીતના ઘર અને હોસ્પિટલની બહાર તેના ચાહકો એકઠા થઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.

પુનીતે શુક્રવારે સવારે છેલ્લું ટ્વિટ કર્યું હતું જેમાં તેણે બજરંગી 2ની સમગ્ર કાસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમના મૃત્યુ બાદ તેમનું છેલ્લું ટ્વિટ વાયરલ થયું હતું.

પુનીતના નિધન બાદ રામ ગોપાલ વર્મા, વેંકટેશ પ્રસાદ, સોનુ સૂદ સહિત ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો –

Aryan Khan Case Live : આર્યન ખાન જેલમાંથી આવશે બહાર, શાહરુખ આર્થર રોડ જેલ જવા રવાના

આ પણ વાંચો –

સરકારની આવક વધવાથી રાજકોષીય ખાધ 4 વર્ષની નીચી સપાટીએ આવી, સરળ શબ્દોમાં સમજો તમારી પર શું થશે અસર

આ પણ વાંચો –

Funny Video : વ્યક્તિને તેના ચશ્મા પાછા આપવા સામે વાંદરાએ કરી જબરદસ્ત ડીલ, લોકો બોલ્યા આને કહેવાય ‘એક હાથ દો, એક હાથ લો’

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">