AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતે શેર કર્યો કરણ જોહર સાથેનો જૂનો વીડિયો, કહ્યું- આજે પણ એ જ એટિટ્યૂડ, જે ત્યારે હતો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને કરણ જોહર વચ્ચેની લડાઈ જાણીતી છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કરણ જોહરનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન પેજ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કંગના રનૌતે શેર કર્યો કરણ જોહર સાથેનો જૂનો વીડિયો, કહ્યું- આજે પણ એ જ એટિટ્યૂડ, જે ત્યારે હતો
Kangana Ranaut, Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:41 PM
Share

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પોતાની વાતોને બેબાકીથી રાખવા માટે જાણીતી છે. અભિનેત્રી દરેક મુદ્દા પર પોતાના મંતવ્યો શેર કરે છે. કંગના અને કરણ (Karan) જોહર વચ્ચે લડાઈ હંમેશા ચાલતી રહી છે. કંગનાએ પહેલા કરણના શોમાં તેને ટોણો માર્યો હતો અને ત્યારથી અલગ-અલગ પ્રસંગોએ બંને વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા. કંગના ઘણીવાર બોલિવૂડમાં નેપોટિઝમ વિશે બોલે છે. તે ઘણીવાર ફિલ્મ માફિયાના લોકોને નિશાન બનાવતી જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મફેર એવોર્ડનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં કરણ એવોર્ડ શો હોસ્ટ કરતો જોવા મળે છે અને કંગનાને એવોર્ડ માટે બોલાવે છે. એવોર્ડ મેળવ્યા પછી કંગના સ્ટેજ છોડવા લાગે છે અને તે સમયે કરણ કંગનાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, જેને અભિનેત્રી અવગણે છે અને આગળ વધે છે. આ વીડિયોને શેર કરતાં કંગનાએ લખ્યું હાહાહા મારી એટિટ્યૂડ પહેલેથી જ ખરાબ છે. અભિનેત્રીએ બીજી પોસ્ટમાં લખ્યું, ઈન્ડસ્ટ્રીમાં આ મારું પહેલું વર્ષ છે, હું ટીનેજર જેવી હતી પરંતુ એટિટ્યૂડ આવું જ હતું.

View this post on Instagram

A post shared by ♡︎ (@_.queen_.kangana._)

કંગનાએ કરણ પર નેપોટિઝમ વધારવાનો આરોપ લગાવ્યો હતો

2017માં કરણ જોહરના ચેટ શોમાં કંગનાએ ફિલ્મ નિર્માતા કરણ જોહરને બોલિવૂડમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપતો ગણાવ્યો હતો, જે બાદ દેશભરમાં તેની મોટી ચર્ચા થઈ હતી અને જે આજ સુધી ચાલુ છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ માફિયાઓ સાથે પંગા લેતી જોવા મળે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ‘થલાઈવી’માં જોવા મળી હતી જેમાં તેણે અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા જે. જયલલિતાનું પાત્ર દર્શાવ્યું હતું. ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સિવાય અભિનેત્રી ‘તેજસ’ (Tejas) અને ‘ધાકડ’ (Dhaakad) જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ સિવાય કંગના ‘અપરાજિતા અયોધ્યા’ (Aparajita Ayodhya)માં સીતાની ભૂમિકા ભજવશે અને મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઑફ દીદ્દા (ManikarnikaReturns: The Legend of Didda)માં દિગ્દર્શન અને અભિનય કરશે. અભિનેત્રી નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) સ્ટારર ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru) પણ પ્રોડ્યુસ કરી રહી છે.

આ પણ વાંચો :- અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ

આ પણ વાંચો :- It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">