AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 15 ઓગસ્ટથી રામ લલ્લાના પુજારી નવા ડ્રેસ કોડમાં જોવા મળશે, જાણો નવો પોશાક કેવો હશે?

Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં 15 ઓગ્સ્ટથી પુજારી માટે નવો ડ્રેસ કોર્ડ લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી પુજા વ્યવસ્થામાં એકરુપતા કરાશે.

Breaking News  : 15 ઓગસ્ટથી રામ લલ્લાના પુજારી નવા ડ્રેસ કોડમાં જોવા મળશે, જાણો નવો પોશાક કેવો હશે?
| Updated on: Aug 14, 2026 | 8:07 AM
Share

Ram Mandir News Dress Code : અયોધ્યા સ્થિત ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલ્લાની સેવા પુજાને વધારે અનુશાસિત, સાત્વિક અને વ્યવસ્થિત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 15 ઓગસ્ટથી મંદિર પરિસરમાં સેવા આપનાર તમામ પુજારીઓ માટે એક નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર પછી રામલ્લાની સેવામાં તૈનાત તમામ પુજારીઓ એક નકકી કરેલા ડ્રેસમાં જોવા મળશે.

રેશમી વસ્ત્રો પવિત્રતા અને સાત્વિકતાનું પ્રતિક

નવા ડ્રેસ કોર્ડ અંતર્ગત તમામ પુજારીઓ માટે પીળી ધોતી અને અંગવસ્ત્ર નક્કી કરવામાં આવ્યા છે. ગરમી અને સામાન્ય ઋતુ માટે પણ આ ડ્રેસ સંપૂર્ણ રીતે રેશમી અને સિલાઈ વગરના હશે. ધાર્મિક સમિતિના અનુસાર વસ્ત્રોની પસંદગી ધાર્મિક મર્યાદા અને શાસ્ત્રોની શુચિતાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે. મહંત રાજકુમાર દાસે જણાવ્યું કે, સનાતન પરંપરામાં રેશમી વસ્ત્રોને પવિત્રતા અને સાત્વિકતાનું પ્રતિક માનવામાં આવે છે. હવામાનના મિજાજને જોતા શિયાળામાં પુજારીઓ માટે પીળા રંગની ઉનના ડ્રેસનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે પુજારી પારંપારિક સિવેલી કુર્તો પહેરે છે. પરંતુ ધાર્મિક સમિતિએ પુજા અર્ચનાની પ્રાચીન પદ્ધતિઓ વૈદિક મર્યાદા અને વસ્ત્રોની સુચિતાને પ્રાર્થમિકતા આપતા આમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે સિલાઈ વગરના રેશમી પિતામ્બરને જ મુખ્ય વેશભૂષાના રુપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે.

તમામ શિફ્ટના પુજારીઓ પર આ નિયમ લાગુ થશે

આ નવો નિયમ મંદિરમાં અલગ અલગ સમય અને શિફ્ટમાં સેવા આપનાર તમામ મુખ્ય અને સહાયક પુજારીઓ પર સમાન રુપે લાગુ થશે. એક સમાન ડ્રેસથી માત્ર મંદિર વ્યવસ્થાપનમાં માત્ર શિસ્ત અને એકરૂપતા જ ​​નહીં, પણ ભક્તો માટે પૂજારીઓને ઓળખવાનું પણ સરળ બનશે. 15 ઓગસ્ટથી, રામ મંદિરની મુલાકાત લેનારા લાખો ભક્તો રામ લલ્લાના દરબારમાં એક નવી, પવિત્ર અને શિસ્તબદ્ધ છબી જોશે.

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે.  અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">