AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranautએ માનહાનિ કેસના વોરંટને સેશન્સ કોર્ટમાં પડકાર્યો, જાવેદ અખ્તરે દાખલ કર્યો છે કેસ

અભિનેત્રી Kangana Ranautએ સેશન્સ કોર્ટમાં તેમની સામે ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને પડકાર્યો છે. જાણીતા લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના સામે માનહાનિનો કેસ દાખલ કરાયો હતો.

Kangana Ranautએ માનહાનિ કેસના વોરંટને સેશન્સ કોર્ટમાં પડકાર્યો, જાવેદ અખ્તરે દાખલ કર્યો છે કેસ
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 11, 2021 | 9:21 PM
Share

અભિનેત્રી Kangana Ranautએ સેશન્સ કોર્ટમાં તેમની સામે ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને પડકાર્યો છે. જાણીતા લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના સામે માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના સામે 1 માર્ચે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. જેમાં ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે કંગનાની અરજી પર 15મી માર્ચે સેશન કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

આ કેસમાં જાવેદ અખ્તર માનહાનિના કેસમાં Kangana Ranaut વિરુદ્ધ મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. કંગનાને પોલીસ મથકે વારંવાર બોલાવ્યા બાદ કંગના હાજર ન થતાં આ વોરંટ ઈસ્યુ કરાયું હતું. તેની બાદ કંગનાએ આ કેસને મુંબઈથી હિમાચલમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની સાથે એમ પણ કહ્યું કે જો આ કેસની સુનાવણી મુંબઈમાં કરવામાં આવે તો તેમને જીવનું જોખમ છે. કંગનાએ આ કેસ હિમાચલમાં ટ્રાન્સફર કરવાની માંગ કર્યા બાદ જાવેદ અખ્તરે કેવીયટ દાખલ કરી હતી. આ કેવીયટમાં તેમણે કહ્યું કે આ કેસમાં તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે.

અભિનેત્રીના ચાહકોએ તેને ધાકડ કહેવામાં આવે છે. કારણ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો ઘેરી રહી છે. પરંતુ અમુક સમયે કંગના તેની મર્યાદાને ઓળંગે છે. જોકે કંગનાની વાતો ઘણીવાર વિચિત્ર લાગે છે. પરંતુ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી તેમણે બોલીવુડ સ્ટાર્સને ઘેરવાનું શરૂ કરી દીધું છે જે હજી ચાલુ છે. કંગનાએ તેના શબ્દોથી ઘણા ફિલ્મી સ્ટાર્સનું અપમાન કર્યું હતું. તેમાંથી એક જાવેદ અખ્તરનું નામ પણ હતું.

આ પણ વાંચો: Maharashtra: સતત વધી રહેલા કોરોનાના કેસથી સરકાર ચિંતિત, 1 લાખથી વધુ સક્રિય કેસ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">