KBC 13: આ એક સવાલનો જવાબ ન આવડતા 25 લાખ ચૂકી ગયા કલ્પના, શું તમે જાણો છો જવાબ?
કલ્પના દત્તા સ્પર્ધક તરીકે 'કૌન બનેગા કરોડપતિ સિઝન 13' ના મંચ પર આવ્યા હતા. જ્યાં અમિતાભ બચ્ચન સાથે, તેમણે આ રમત ખૂબ જ મજબૂત રીતે રમી હતી.
સોની ટીવીનો ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 13’ (Kaun Banega Crorepati 13) દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં ગુરુવારે મુંબઈ થાણેથી કલ્પના સંજીબ દત્તા જોવા મળ્યા હતા. કલ્પનાએ બુધવારે 2000 રૂપિયા જીત્યા હતા. બાદમાં ગુરુવારે ત્રીજા પ્રશ્નથી શરૂઆત કરીને રમતને આગળ ધપાવી હતી. અમિતાભ બચ્ચને પણ કલ્પના સાથે ઘણી વાતો કરી અને તેમને સારા ખેલાડી ગણાવ્યા. અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) કલ્પનાના પ્રશ્નનો જવાબ આપવાની રીત ગમી. તેના વિશે વાત કરતા બિગ બીએ કહ્યું કે “તેઓ આ રમત કેવી રીતે રમવી તે જાણે છે, જેના કારણે તે મજબૂત રીતે આગળ વધી રહી છે.”
આ દરમિયાન, કલ્પનાએ અમિતાભ બચ્ચનને તેની મુસાફરી વિશે પણ કહ્યું, કલ્પનાએ અમિતાભ બચ્ચનને પૂછ્યું, તમે ક્યારેય લોકલ ટ્રેનમાં ચડ્યા છો? આ સવાલના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘હા, હું ઘણી વખત લોકલ ટ્રેનમાં ચડ્યો છું, જ્યારે હું આ શહેરમાં આવ્યો ત્યારે તે સમય દરમિયાન મારી પાસે વધારે પૈસા અને વાહનો નહોતા. તે સમય દરમિયાન હું માત્ર લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો હતો.’
સૌ કોઈ જાણે છે કે આ રમતમાં અમિતાભ બચ્ચન જે રીતે દર્શકો સાથે વાતો કરે છે તે એકદમ અદભૂત લાગે છે. સ્પર્ધકો સાથે કેમેસ્ટ્રી બનાવવામાં બિગ બીથી વધુ સારો અભિનેતા અન્ય કોઈ હોઈ શકે નહીં. એપિસોડમાં, કલ્પનાએ 25 લાખના પ્રશ્ન પર રમત છોડવાનો નિર્ણય કર્યો. જ્યાં તે શોથી 12 લાખ 50 હજાર રૂપિયા જીતીને ઘરે પરત ફરી હતી. અમિતાભ બચ્ચને તેમને એક ખાસ ગુલાબ આપ્યું હતું, તે મેળવ્યા બાદ તેમણે કહ્યું કે આ માત્ર ગુલાબની કિંમત જ 7 કરોડ છે. અમિતાભ બચ્ચન જી. અમિતાભ આ સાંભળીને આશ્ચર્યચકિત થયા.
શું હતો 25 લાખનો પ્રશ્ન?
પ્રશ્ન- જાન્યુઆરી 2021 માં વડાપ્રધાન તરીકે કાઝા કલ્લસની નિમણૂક કયા દેશમાં કરવામાં આવી. જે હાલમાં એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને મહિલાઓ છે?
જવાબ – એસ્ટોનિયા
કલ્પનાએ આ સવાલ પર રમત છોડી દીધી હતી અને સાથે 12 લાખ 50 હજાર રૂપિયા જીતીને ઘરે પરત ફરી હતી. કલ્પનાના પરત ફર્યા બાદ ડો.સાંચલી ચક્રવર્તીએ અમિતાભ બચ્ચનની ટ્રિપલ ટેસ્ટ જીતીને હોટસીટ પર પોતાની જગ્યા બનાવી. તમને જણાવી દઈએ કે ડો.સંચાલી ચક્રવર્તી કોલકાતાના છે અને બાળકોના ડોક્ટર છે. તેમણે કહ્યું કે તે તેના ઘરમાં સૌથી નાની હતી. જેના કારણે બધાએ તેમને ખૂબ પ્રેમ આપ્યો, હવે તે આ પ્રેમને બાળકોમાં વહેંચી રહી છે.
આ પણ વાંચો: ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માંથી બહાર?
આ પણ વાંચો: Antim: ફિલ્મનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ