KBC માં 1 કરોડ જીતનારને ખરેખર કેટલા રૂપિયા મળે છે? કેટલો કપાય છે ટેક્સ? જાણો

તમને પણ ક્યારેક વિચાર આવ્યો હશે કે KBC માં એક કરોડ જીતનારા સ્પર્ધકોને કેટલી રકમ મળતી હશે? અને જીતની રકમનો કેટલો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડે છે?

KBC માં 1 કરોડ જીતનારને ખરેખર કેટલા રૂપિયા મળે છે? કેટલો કપાય છે ટેક્સ? જાણો
KBC (File Image)
Follow Us:
| Updated on: May 18, 2021 | 4:12 PM

ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ ઘણાં વર્ષોથી દર્શકોને ખુબ પસંદ શો રહ્યો છે. આ શોની 13 મી સીઝનનું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે અને અમિતાભ બચ્ચન આમાં સવાલો પૂછી રહ્યા છે. લોકો કરોડપતિ બનવાના સ્વપનને સાકાર કરવા આ શોમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. આ સાથે લોકોને ખુબ મનોરંજન પણ મળે છે. નોધપાત્ર છે કે આ શોમાં ઘણા લોકો ઘણા રૂપિયા જીતીને ગયા છે.

અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠેલા ઘણા સ્પર્ધકોએ સવાલોના સાચા જવાબ આપીને લાખો-કરોડોની જીત મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે એક કરોડ જીતનારા સ્પર્ધકોને ક્યારેય પૂરી રકમ મળતી નથી? કેમકે તેઓએ જીતની રકમનો મોટો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડે છે.

કૌન બનેગા કરોડપતિ દ્વારા જીતેલી રકમ પર ટેક્સ ભરવાની પણ જવાબદારી છે. આ જ કારણ છે કે 1 કરોડ જીત્યા પછી પણ વિજેતાને 1 કરોડ પુરા ન મળે. ખરેખર જીતેલી રકમ પર ટેક્સ ભરવો પડે છે. શો દરમિયાન જીત;ની રકમ સીધી ખાતામાં મોકલવામાં આવે છે, પરંતુ આ રકમમાંથી ટેક્સ કપૈજાય છે. જીતેલી રકમ પર 30 ટકા જંગી ટેક્સ વસૂલવામાં આવે છે. આ નિયમ ફક્ત 1 કરોડ રૂપિયા પર લાગુ થતો નથી, પરંતુ જો કોઈ સ્પર્ધક દસ હજાર રૂપિયા પણ જીતે છે, તો તેણે 30 ટકા TDS તરીકે ચૂકવવાના રહે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

માની લો કે કોઈ સ્પર્ધક 1 કરોડ રૂપિયાની રકમ જીતે છે, તો માત્ર એક કરોડ રૂપિયા ઇનામ રકમ તરીકે આપવામાં આવે છે. પરંતુ તેમને આ પૈસા ટીડીએસ બાદ કર્યા બાદ મળે છે. આવકવેરાની કલમ 194B મુજબ સ્પર્ધકે 30 ટકા ટેક્સ ભરવો પડશે. એટલે કે 1 કરોડ જીત પર 30 લાખ રૂપિયા કાપવામાં આવે છે. એટલું જ નહીં જીતેલી રકમ પરનો ટેક્સ ઉપરાંત 4 ટકા સેસ ટેક્સ ભરવો પડશે. મતલબ કે કુલ 31.20 ટકાનો ટેક્સ. 4 ટકા એટલે કે 1 લાખ 20 હજાર રૂપિયા. મતલબ કે એક કરોડ જીતનારા સ્પર્ધકોને ટેક્સ રૂપે 31 લાખ 20 હજાર રૂપિયા ટેક્સ પેટે ચુકવવા પડશે.

સરચાર્જ પણ ચૂકવવો પડશે

કોઈપણ રિયાલિટી શોથી જીતી રકમ સેક્શન 56 હેઠળ, Income from Other Sources (લોટરી, ટીવી શો) ની આવકમાં બતાવવામાં આવે છે. જો કોઈ કેબીસીમાંથી એક કરોડ જીતે છે, તો તેણે 30% ટેક્સ ભરવો પડશે. જો કોઈ કેબીસીથી 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધી જીતે છે, તો તેને 10% સરચાર્જ પણ ચૂકવવો પડશે. તે જ સમયે જો કોઈ એક કરોડથી વધુ રકમ જીતે છે, તો તેણે 15% સરચાર્જ ચૂકવવું પડશે.

કેટલી રકમ મળે છે?

તદનુસાર વિજેતા સ્પર્ધકોને નિયમ મુજબ આશરે 30% ટેક્સ + 4% શૈક્ષણિક સેસ + 10% સરચાર્જ + 4% સેસ ચૂકવવો પડે છે. તે પછી સ્પર્ધકો પાસે ચોખ્ખી રકમ બાકી રહે છે. આ પ્રમાણે, તમે દરેક રકમની ગણતરી જાતે કરી શકો છો. માની લો કે જો કોઈ વ્યક્તિ 10,000,000 રૂપિયા જીતે છે, તો તેણે ટેક્સ તરીકે 31 લાખ 20 હજાર રૂપિયા (31.20% ટેક્સ + સેસ) ચૂકવવા પડશે. આની ઉપર 10 ટકા સરચાર્જ + 4 ટકા સેસ પણ લાદવામાં આવશે.

આ પણ વાંચો: Viral: શું આયુષ ઉકાળો પીવાથી 3 દિવસમાં ઠીક થઇ જાય છે કોરોના દર્દી? જાણો શું છે સત્ય

આ પણ વાંચો: રસ્તા પરથી 10 થી વધુ રૂપિયા મળવાની જાણ સરકારને ના કરી તો થઇ શકે છે જેલ: જાણો અટપટા કાયદા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">