Arjun Kapoorની દાદી જોવા માંગે છે પ્રપૌત્ર-પૌત્રી, અભિનેતાએ કહ્યું નથી કરી શકતો આ ઇચ્છા પૂરી
અભિનેતા અર્જુન કપૂર જ્યા તેમની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, ત્યારે અર્જુનના ઘરે તેમની દાદીને પ્રતીક્ષા છે પ્રપૌત્ર-પૌત્રીની.
અભિનેતા અર્જુન કપૂર જ્યા તેમની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, ત્યારે અર્જુનના ઘરે તેમની દાદીને પ્રતીક્ષા છે પ્રપૌત્ર-પૌત્રીની. જોકે અર્જુને તેમને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, તેમનું કહેવું છે કે તે દાદીની આ ઇચ્છા પૂરી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે હાલમાં અર્જુન મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યા છે અને અહેવાલ છે કે આ બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું છે.
અર્જુન કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “મારી દાદીની ઇચ્છા પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેમને પ્રપૌત્ર-પૌત્રી જોઈએ છે અને હું તે આપી શકિશ નહીં.” હવે અમે લોકો કપૂર પરિવારનાં તમામ પરણીત ચિરાગોથી વહેલી તકે આ ઈચ્છા પૂરી કરવાની ઉમ્મીદ કરી રહ્યા છીએ.
સરદાર કા ગ્રૅન્ડ સનમાં ભજવી હતી પૌત્રની ભૂમિકા
અર્જુન કપૂરની આ કોમેન્ટ તેમની ફિલ્મ ‘સરદાર કા ગ્રૅન્ડ સન’ પછી આવી છે. આમાં, તે આગ્યાકારી પૌત્રની ભૂમિકા ભજવે છે જે તેની બીમાર દાદીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે ઘણા ઉતાર-ચઢાવ સહન કરે છે. ફિલ્મમાં દાદીની ભૂમિકા નીના ગુપ્તાએ ભજવી છે.
View this post on Instagram
માતાની યાદમાં કહી આ વાત
તાજેતરમાં જ મધર્સ ડે પર અર્જુને એક ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી હતી. ઉપરાંત, ટીવી શો ‘સ્ટાર વર્સેસ ફૂડ’ ના એક એપિસોડ દરમિયાન, અર્જુન કપૂરે કહ્યું-‘ જ્યારે મારા માતા-પિતા છૂટા થયા ત્યારે હું ખોરાકમાં શાંતિ ગોતવા લાગ્યો હતો. હું તેની સાથે એક રીતે ભાવનાત્મક રૂપે જોડાઈ ગયો હતો, તેથી મેં ખાવાનું શરૂ કરી દીધુ હતું, અને ત્યારે હું ખોરાકને ખુબ એન્જોઈ કરવા લાગ્યો’.
તેમણે કહ્યું કે ‘એક બિંદુ પછી જ્યારે તમને રોકવા માટે કોઈ ન હોય ત્યારે તેને છોડવું મુશ્કેલ થઈ જાય છે. તમારી માતા તમને પ્રેમ કરે છે પરંતુ તેમને લાગે છે કે એક બાળક છે અને આજ ખાવાની ઉમ્ર છે ‘.
બોલિવૂડમાં પૂરા કર્યા 9 વર્ષ
અર્જુન કપૂરે ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 11 મે 2012 ના રોજ રીલિઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આમાં તેમની સાથે પરિણીતી ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાજ મોના કપૂરનું અવસાન માર્ચ 2012 માં થયું હતું.