AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીની વધી મુશ્કેલી, અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ભોપાલમાં પોતાની વેબ સિરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં શ્વેતાએ સ્ટેજ પર ભગવાનને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જેને કારણે અભિનેત્રીની મુશ્કેલી હાલ વધતી જોવા મળી રહી છે.

વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીની વધી મુશ્કેલી, અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી
Fir against shweta tiwari (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 2:13 PM
Share

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ, જે બાદ શ્વેતા તિવારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભોપાલમાં (Bhopal)  પોતાની વેબ સિરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં શ્વેતાએ સ્ટેજ પર ‘ભગવાન’નું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. ત્યારે હવે ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 295 (A) હેઠળ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

શ્વેતા તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આ FIR મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કરી છે. મિશ્રાએ આ મામલે કહ્યું કે, ‘મેં પોતે શ્વેતા તિવારીના મોંથી આ સાંભળ્યું છે. હું તેનો વિરોધ કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને (Bhopal Commissioner) આ મામલે તપાસ કરવા જણાવ્યુ છે અને રિપોર્ટ પણ માંગ્યો છે. આ મામલે અભિનેત્રી પર કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ (Narotam Mishra) ભોપાલ પોલીસ કમિશનરને પણ આ સંબંધમાં તમામ તથ્યો તપાસવા અને 24 કલાકની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે, ત્યારબાદ આગળ નિર્ણય લેવામાં આવશે.

જાણો શુ છે સમગ્ર મામલો ?

તાજેતરમાં અભિનેત્રી શ્વેતા તિવારી વેબસિરીઝ ઈવેન્ટમાં સામેલ થવા ભોપાલ ગઈ હતી. આ ઈવેન્ટમાં તેમણે ભગવાનને સંંબંધિત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે જ અટકળો શરૂ થઈ હતી કે અભિનેત્રી શ્વેતા તિવારી વિવાદમાં ફસાઈ શકે છે. પોતાની અપકમિંગ વેબસીરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચેલી અભિનેત્રી કાર્યક્રમમાં બાકીના લોકો સાથે સ્ટેજ પર બેઠી હતી, તે જ સમયે શ્વેતાના મોઢામાંથી આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યુ, ‘મારી બ્રા સાઈઝ…’. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને હાલ અભિનેત્રીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : HBD Shruti Haasan: જ્યારે શ્રુતિ હાસને તેની ફિલ્મમાં અક્ષય કુમારને કાસ્ટ કરવાની વાત થઈ ત્યારે ફીને લઈને થયું હતું કંઈક આવું, એક્ટ્રેસે આપ્યું હતું રિએક્શન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">