પ્રખ્યાત કોમેડિયન સુનિલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરાઈ, સમાચાર સાંભળી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝને લાગ્યો મોટો ઝટકો

|

Feb 03, 2022 | 12:00 AM

હંમેશા પોતાની કોમેડીથી પોતાના ફેન્સના ચહેરા પર સ્માઈલ લાવનારા સુનિલ ગ્રોવરને સ્વસ્થ થવાને લઈને લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રખ્યાત કોમેડિયન સુનિલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરાઈ, સમાચાર સાંભળી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝને લાગ્યો મોટો ઝટકો
Sunil Grover (File Image)

Follow us on

જાણીતા કોમેડી એક્ટર સુનીલ ગ્રોવર (Sunil Grover)ને હાર્ટમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ હાર્ટ સર્જરી (Heart Surgery) કરવામાં આવી. સુનીલ ગ્રોવરના હાર્ટ સર્જરીના સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવતા જ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે. હંમેશા પોતાની કોમેડીથી પોતાના ફેન્સના ચહેરા પર સ્માઈલ લાવનારા સુનિલ ગ્રોવરને સ્વસ્થ થવાને લઈને લોકો પ્રાર્થના કરી રહ્યા છે. અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષ સાથે થયેલી ખાસ વાતચીતમાં સુનિલના ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રોએ જણાવ્યું કે તેમના માટે પણ આ સમાચાર ઘણા શોકિંગ છે. તેમને પણ સુનિલ ગ્રોવરની હાર્ટ કંડીશનની જાણકારી નહતી.

 

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

સિમી ગેરેવાલે કર્યુ ટ્વીટ

સિમી ગેરેવાલે ટ્વીટ કરતા લખ્યું કે હું હેરાન છું કે સુનિલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે. પોતાના હાર્ટની કિંમત ચૂકવીને આપણા હાર્ટને હસાવી અને ખુશીથી ભરી દીધું. હું પ્રાર્થના કરુ છું કે તે ઝડપી સાજા થઈ જાય. તેમની પાસે એક સારી પ્રતિભા છે અને હું પોતે તેમની મોટી ફેન છું.

ફેન્સ કરી રહ્યા છે સલામતી માટે પ્રાર્થના

સિમીની સાથે સુનિલ ગ્રોવરના ફેન્સ પણ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. સુનિલની તબિયત હાલમાં સારી છે. તેમની હાર્ટ સર્જરી પણ સફળ રીતે થઈ ગઈ છે. તેમના ડોક્ટરનું કહેવું છે કે સુનિલ ગ્રોવર હવે સેફ છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. આશા છે કે ઝડપી જ દર્શકોને તેમના મનપસંદ કોમેડિયનને તેમની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

સત્તાવાર જાહેરાત થઈ નથી

અત્યાર સુધી સુનિલ ગ્રોવર અથવા તેમની ટીમ તરફથી તેમના સ્વાસ્થ્યને લઈ કોઈ પણ સત્તાવાર સ્ટેટમેન્ટ આવ્યું નથી. તમને જણાવી દઈ એ કે માત્ર સ્ટેન્ડ અપ કોમેડી જ નહીં સુનિલ ગ્રોવર વેબ સિરિઝ અને ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે. ટીવીનો કોમેડી શો ‘ગેંગ ઓફ ફિલ્મીસ્તાન’ બાદ સુનિલે ટેલિવિઝનમાંથી બ્રેક લીધો હતો. કોમેડીની સાથે સાથે તેમની એક્ટિંગના પણ ક્રિટિક્સે વખાણ કર્યા છે. તાજેત્તરમાં જ ‘તાંડવ’ અને ‘સનફ્લાવર’ વેબસિરિઝમાં તેમના કામ કર્યુ હતું.

આ પણ વાંચો: બાળકોમાં કેન્સરનું પ્રમાણ કેટલું ? અને કેન્સર બાળકો માટે કેટલું જોખમી ? જાણો બાળકોને કેન્સરથી કેવી રીતે બચાવી શકાય

Published On - 11:55 pm, Wed, 2 February 22

Next Article