Arijit Singhની માતાનું અવસાન, કોરોના વાઈરસની સામે હાર્યાં જિંદગીની જંગ

ઘણા લોકોએ કોરોના વાઈરસ રોગચાળામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. જેમાં દેશની અનેક મોટી હસ્તીઓ શામેલ છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમણે કોરોના વાયરસથી તેમનો અને તેમના સ્વજનોનો જીવ ગુમાવ્યો છે.

Arijit Singhની માતાનું અવસાન, કોરોના વાઈરસની સામે હાર્યાં જિંદગીની જંગ
Arijit Singh
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 20, 2021 | 5:32 PM

ઘણા લોકોએ કોરોના વાઈરસ રોગચાળામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. જેમાં દેશની અનેક મોટી હસ્તીઓ શામેલ છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમણે કોરોના વાયરસથી તેમનો અને તેમના સ્વજનોનો જીવ ગુમાવ્યો છે. એકવાર ફરી બોલીવુડમાંથી ખરાબ સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ગાયક અરિજીત સિંઘના માતાનું નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી પોતાના જીવનની જંગ હારી ગયા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એક સમાચાર મુજબ અરિજીત સિંઘની માતાએ ગુરુવારે (20 મે) સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમની માતા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યારથી તેમની સરવાર કોલકાતાની AMRI ઢાકુરિયા હોસ્પિટલમાં ચાલી રહી હતી. ગાયકની માતાની હાલત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી પણ ખૂબ જ ગંભીર હતી. તેમની સારવાર માટે A-બ્લડ ગ્રુપ દાતાઓની પણ જરૂર હતી.

તે પણ સ્પષ્ટ કરાયું હતું કે રક્તદાતા પુરુષ જ હોવો જોઈએ. આ વાતની જાણકારી ‘દિલ બેચારા’ અને ‘પાતાલ લોક’માં જોવા મળેલ અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ સોશિયલ મીડિયા પર આપી હતી. પોતાની માતાને લઈને ખુદ અરિજીત સિંઘે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું. તેમણે મદદ કરનારા લોકોનો આભાર માનવાની સાથે એક વિશેષ સંદેશ પણ આપ્યો હતો.

અરિજીત સિંઘે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘આ તે લોકોને વિનમ્ર નિવેદન કરુ છું જે આ સમયે મારી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમને વિનંતી છે કે કૃપ્યા વસ્તુઓને વધુ ન કરે ખાલી એટલા માટે કારણકે તમે અરિજીત સિંઘે નામ જોયું છે. જ્યાં સુધી આપણે દરેક વ્યક્તિનું સન્માન કરવાનું ન શીખીએ ત્યાં સુધી આપણે આ દુર્ઘટનામાંથી બહાર ન આવી શકીએ.

હું તેમનો આભારી છું જેઓ મારી પાસે પહોંચ્યા અને મદદ કરી, પરંતુ કૃપા કરીને યાદ રાખો કે આપણે બધા માણસો છીએ અને દરેક માનવી આપણી પ્રાથમિકતા છે.’ આપને જણાવી દઈએ કે અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે અરિજિતની માતાને બ્લડ ડોનરની જરૂર છે.

ગત ગુરુવારે સવારે સ્વસ્તિકાએ ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ગાયક અરિજીત સિંઘની માતા બીમાર છે અને તેમને A-બ્લડની જરૂરત છે. આ પોસ્ટની સાથે સ્વસ્તિકાએ એ પણ માહિતી આપી હતી કે અરિજિતની માતા કોલકાતાના AMRI ઢાકુરિયા હોસ્પિટલમાં દાખલ છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">