Boycott Radhe : સુશાંતના ચાહકોએ Salman Khan સામે ખોલયો મોરચો, ઉઠી ‘રાધે’ને બોયકોટ કરવાની માંગ
એક્શન અને રોમાંસથી સજ્જ આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી છે, પરંતુ બીજા કેટલાક લોકો પણ છે જે ફિલ્મનો બોયકોટ કરી રહ્યા છે.
બોલિવૂડની દબંગ ખાનની ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ પ્રેક્ષકોમાં આવી પહોંચી છે. એક્શન અને રોમાંસથી સજ્જ આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી છે, પરંતુ બીજા કેટલાક લોકો પણ છે જે ફિલ્મનો બોયકોટ કરી રહ્યા છે.
રાધેની રજૂઆતના કલાકોમાં જ, ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠવા લાગી છે. હેશટેગ ‘ રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો’ ટ્વિટર પર બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે નહીં કે આ ટ્રેન્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના ચાહકો ચલાવી રહ્યા છે.
જો કે આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછીથી તેમના માટે ન્યાયની માંગ સતત ટ્વિટર દ્વારા કરવામાં આવી રહી છે. હવે જ્યારે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે ફરી એકવાર બોલીવુડની હસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયા પહેલા જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ ‘રાધે’ નો બહિષ્કાર કરવાની માંગ ટ્વિટર પર ઉઠી હતી.
અહીં વાંચો યુઝર્સના રિએકશન
એક યુઝરે લખ્યું – બોલીવુડના માફિયા અને દેશ વિરોધી અને ડ્રગ લેવા વાળા લોકોના અંડરવર્લ્ડ સાથે ઉડા સંબંધ છે. આપણી મહેનતની કમાણી આના પર ખર્ચ કરવામાં આવતી હતી, પરંતુ હવે નહી. રાધે ફિલ્મનો બહિષ્કાર કરોનાં ટ્રેંડને સપોર્ટ આપો.
Bullywood Mafias are Anti-Nationalist, Druggies deeply indulge in underworld link!!
Our hard earned money was spent on them but now its time to say no to #Bollywood #BoycottRadhe
⚡ #राधे_फिल्म_का_बहिष्कार_करो support this trend ⚡
– Did AU Bhatt Plan SSR Murder pic.twitter.com/Z4P9ieFb1e
— Sumita Das (@sumidas198) May 13, 2021
એકે લખ્યું – જ્યારે પણ હું આ અભિનેતા સલમાન ખાનને જોઉં છું, તો હું સુશાંતની હત્યાના રહસ્ય વિશે વિચારવાનું શરૂ કરું છું, જે હજી વણઉકેલાયેલ છે. મિસ યુ સુશાંત ભાઈ
https://twitter.com/RinkiRRajput1/status/1392800828784746496
#राधे_फिल्म_का_बहिष्कार_करोMy all SSRians friend plzz support this trend . https://t.co/sDSlivMyJs
— Harshit – Thoughts of nature and earth (@Harshitnature) May 13, 2021
https://twitter.com/Pari12345666/status/1392774054583554050
https://twitter.com/i_am__deepak_/status/1392787538541043716
આ સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે સલમાનની આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું – છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુઓની ભાવનાઓની મજાક ઉડાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. આવી વસ્તુઓ ફિલ્મો અને કોમેડી શોમાં જોવા મળી રહી છે.
For the last few years,it has become a trend to mock Hindu beliefs,One comes across such blasphemous material in movies,comedy shows.While d Hindu society does protest against such denigration,lack of legal provisions allow the offenders to go scotfree#राधे_फिल्म_का_बहिष्कार_करो pic.twitter.com/P9HChmnSEG
— CHETHANA PRABHU (@Ravalanath) May 13, 2021
જો કે, ફિલ્મમાં અમને એવું કશું નથી જોવા મળ્યું કે જેથી એવું માનવામાં આવે કે ફિલ્મ રાધેમાં હિન્દુઓની લાગણીનું અપમાન કરવામાં આવ્યું હોય. જો કે, એવું પણ બને કે લોકોને સલમાન ખાનનું રાધે નામ રાખવું ગમ્યું ન હોય.
તમને જણાવી દઈએ કે રાધે આમ તો થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે થિયેટરનું રિલીઝ રદ કરાયું હતું. આ ફિલ્મ ગુરુવારે જી5 પર રિલીઝ થઈ છે. આ સિવાય ઓવરસીઝમાં પણ આ ફિલ્મ અનેક સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી. ફિલ્મના પ્રેક્ષકો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ સલમાનની આ ફિલ્મ જોઇને તેમના ઘણા ચાહકો નિરાશ થયા છે.