AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયદર્શને કેમ છોડી ‘Hera Pheri 3’? ડાયરેક્ટરે કર્યો ‘ચોંકાવનારો ખુલાસો’, બોમન ઈરાનીએ પણ આપ્યો ‘સાથ’

બૉલીવુડની આઇકોનિક કોમેડી ફ્રેન્ચાઇઝી 'હેરા ફેરી 3' (Hera Pheri 3) ને લઈને સિનેપ્રેમીઓમાં સતત ઉત્સુકતા બનેલી છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આ હિટ ત્રિપુટીને ફરી એકસાથે જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, આ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝીના પ્રથમ ભાગનું નિર્દેશન કરનાર ડાયરેક્ટર પ્રિયદર્શને ત્રીજા ભાગથી અંતર જાળવી લીધું છે. તાજેતરમાં જ તેમણે 'હેરા ફેરી 3' ડાયરેક્ટ ન કરવા પાછળનું મોટું કારણ જણાવ્યું છે.

પ્રિયદર્શને કેમ છોડી 'Hera Pheri 3'? ડાયરેક્ટરે કર્યો 'ચોંકાવનારો ખુલાસો', બોમન ઈરાનીએ પણ આપ્યો 'સાથ'
| Updated on: Sep 02, 2026 | 2:43 PM
Share

બૉલીવુડની ફેમસ કોમેડી ફ્રેન્ચાઇઝી ‘Hera Pheri 3’ ઘણા સમયથી ચર્ચામાં છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીના ત્રીજા પાર્ટને લઈને ફેન્સ પણ આતુર છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે, ‘હેરા ફેરી 3’ (Hera Pheri 3) ને પ્રિયદર્શન ડાયરેક્ટ કરવાના છે. બાદમાં એ કન્ફર્મ થઈ ગયું કે, ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન નથી કરી રહ્યા. એવામાં સવાલ એ છે કે, પ્રિયદર્શને ‘હેરા ફેરી 3’ થી અંતર કેમ જાળવ્યું?

‘Hera Pheri 3’ ડાયરેક્ટ ન કરવાનું કારણ?

પ્રિયદર્શને પોતાના કરિયરમાં ઘણી યાદગાર અને કલ્ટ ક્લાસિક ફિલ્મો બનાવી છે, જેમાં ‘હેરા ફેરી’નું નામ પણ જોડાયેલ છે. પ્રિયદર્શને આ પ્રોજેક્ટથી પોતાને અલગ કરવાનું મોટું કારણ જાહેર કર્યું. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયદર્શને આનું કારણ આપતા કહ્યું કે, તેઓ પોતાની ફિલ્મોની સીક્વલ ખુદ નથી બનાવતા. તેમના મુજબ ‘હેરા ફેરી’ ની વાર્તા પહેલા પાર્ટમાં એકદમ કમ્પ્લીટ હતી.

તેમણે કહ્યું કે, તેમના માટે ‘હેરા ફેરી’ નો પહેલો પાર્ટ એક એવી ફિલ્મ હતી, જેણે મેજિક ક્રિએટ કર્યું. પ્રિયદર્શનને લાગે છે કે, બીજો પાર્ટ તે સ્તરને કાયમ રાખી શક્યો નહોતો અને ત્રીજા પાર્ટને લઈને પણ તેમને એ જ ડર છે કે, ક્યાંક તે ફિલ્મની ફ્રેન્ચાઇઝીને નુકસાન ન પહોંચાડી દે. પ્રિયદર્શનનું માનવું છે કે, હવે આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક ફક્ત તેની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા જેવો હોઈ શકે છે.

બોમન ઈરાની પણ પ્રિયદર્શનની વાત સાથે સહમત

પ્રિયદર્શનની વાત સાથે બોમન ઈરાનીએ પણ સહમતી દર્શાવી, જે તે સમયે ત્યાં હાજર પણ હતા. બોમન ઈરાની ટૂંક સમયમાં ‘ખોસલા કા ઘોસલા 2’ માં જોવા મળશે, જે વર્ષ 2006 માં આવેલી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ ની સીક્વલ છે.

બોમને કહ્યું કે, જ્યારે કોઈ ફિલ્મ પોતાના સમયમાં સફળ થાય છે, ત્યારે તેની પાછળ એક ખાસ પ્રકારનું જાદુ હોય છે. તેમનું માનવું છે કે, સિનેમામાં તે જાદુને ફરીથી એ જ રીતે બનાવવો શક્ય નથી હોતો. અભિનેતાએ કહ્યું કે, તેઓ પ્રિયદર્શનની વાત સાથે સહમત છે.

બંગાળની બ્યુટી હવે બોલીવુડમાં પગ મૂકશે, ખિલાડી Akshay Kumar સાથે કરશે ‘કંઈક નવું’

Follow Us
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
g clip-path="url(#clip0_868_265)">