AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને લતા મંગેશકરના માતા અને ભાઈ-બહેન પહોંચ્યા હતા મુંબઈ, જાણો કેવું હતું લતાજીનું રિએક્શન?

લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકર તેમના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના અકાળે અવસાનને કારણે ઘરની ભરણપોષણની સમગ્ર જવાબદારી લતા મંગેશકર પર આવી ગઈ હતી.

2 દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને લતા મંગેશકરના માતા અને ભાઈ-બહેન પહોંચ્યા હતા મુંબઈ, જાણો કેવું હતું લતાજીનું રિએક્શન?
Lata Mangeshkar- File Image
Meera Kansagara
| Edited By: | Updated on: Feb 06, 2022 | 1:43 PM
Share

સૂરોની મલ્લિકા લતા મંગેશકરને (lata mangeshkar) એમ જ સ્વર કોકિલા કહેવામાં નથી આવતું. તેમના અવાજમાં ખનક અને અહેસાસ હતો. લતાજીએ તેની કરિયરમાં હજારો હિન્દી ગીતો (hindi songs) ગાયા હતા. આ સિવાય તેમને અન્ય ભાષાઓમાં પણ ગીત ગાયા હતા. તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ગાયિકાઓ પૈકી એક હતા. તેમનો મધુર અને મોહક અવાજ તેમની લોકપ્રિયતાનું કારણ હતું. લતા મંગેશકર પાંચ બહેનો અને ભાઈઓમાં સૌથી મોટા હતા. તેઓ માત્ર 13 વર્ષના હતા, જ્યારે તેમણે પ્રથમ વખત ગીત ગાયું હતું. 1942માં શરૂ થયેલી તેમની ફિલ્મી કારકિર્દી ઘણા દાયકાઓ સુધી ચાલી. તેમની કારકિર્દીમાં તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ ત્રીસ હજાર ગીતો ગાયા.

પિતાના અવસાન પછી લતાએ એકલા હાથે પરિવારની લીધી હતી સંભાળ

2001માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સિદ્ધિઓ વિશે તો બધા જાણે છે, પરંતુ તેમના સંઘર્ષના દિવસોની ઘણી વાર્તાઓથી લોકો હજુ અજાણ છે. ભલે લતા મંગેશકર આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાથી સંબંધિત વાર્તા જે અમે આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તે દર્શાવે છે કે કેવી રીતે તેમના પિતા દીનાનાથ મંગેશકરના મૃત્યુ પછી તેમણે એકલા હાથે તેમના પરિવારની સંભાળ લીધી.

લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકર તેમના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના અકાળે અવસાનને કારણે ઘરની દેખરેખની સમગ્ર જવાબદારી લતા મંગેશકર પર આવી ગઈ. તેમના એક રેડિયો શોમાં આ કિસ્સાનો ઉલ્લેખ કરતાં અન્નુ કપૂરે કહ્યું કે લતા મંગેશકર ત્રણ નાની બહેનો અને એક ભાઈમાં સૌથી મોટી હતી. પિતાના અવસાન બાદ લતા મંગેશકર ઘર ચલાવવા માટે કામની શોધમાં મુંબઈ આવી ગયા હતા. તેને અહીં ગાવાથી જે પણ પૈસા મળતા તેમાંથી તે પોતાના માટે બચાવી લેતી અને બાકીના ગામમાં પરિવારને મોકલી આપતી. નાનો ભાઈ ઘણીવાર બીમાર રહેતો.

લતાનો પરિવાર બે દિવસથી ભૂખ્યો અને તરસ્યો પહોંચ્યો હતો મુંબઈ

લતા મંગેશકર જે પૈસા મોકલતા હતા, તેમાં માતા અને ચાર બહેનો અને ભાઈઓનું જીવન નહોતું વીતી રહ્યું. આ પછી લતા મંગેશકરની માતા શેવંતી મંગેશકરે વિચાર્યું કે હવે મુંબઈ જ જાવું જોઈએ. બળદગાડામાં બેસીને તે બાળકો સાથે મુંબઈ જવા રવાના થઈ. ગામથી મુંબઈનો રસ્તો દૂર હતો. લતા મંગેશકરની માતા પાસે રસ્તા માટે ન તો ભોજન હતું, ન પાણી ન પૈસા. બે દિવસના પ્રવાસ પછી લતા મંગેશકરની માતા અને ભાઈ-બહેન ભૂખ્યા પેટે મુંબઈ પહોંચ્યા.

તેમના માતા અને બહેનો અને ભાઈઓ મુંબઈ પહોંચી ગયા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે લતા મંગેશકર ક્યાં રહે છે. એક સંબંધીનું સરનામું જાણીતું હતું એટલે તેઓ ત્યાં ગયા. ત્યાં પહોંચ્યા પછી તેણે કહ્યું કે લતા સુધી આ સમાચાર લાવો કે તેનો પરિવાર મુંબઈ આવ્યો છે. હવે લતા મંગેશકરને આ સમાચાર મળતાં જ તેઓ તરત જ તેમના સંબંધીના ઘરે જવા રવાના થઈ ગયા. જ્યાં તેમની માતા અને ભાઈ-બહેન રોકાયા હતા. રસ્તામાં તેને ખાવા-પીવાનું પેક મળ્યું ન હતું.

લતા ઘરે પહોંચી ત્યારે નાની બહેનો અને ભાઈઓએ તેમના હાથમાં ભોજન જોયું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. વાતાવરણ ખૂબ જ લાગણીશીલ બની ગયું હતું. લતા મંગેશકરે પોતાની બહેનો, ભાઈઓ અને માતાને પોતાના હાથે ભોજન કરાવ્યું. આ શોમાં અન્નુ કપૂરે લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરને ટાંકીને કહ્યું હતું કે,” મેં દીદીના હાથમાંથી વડાપાવ લીધો અને હું માત્ર તેમને જોતો જ રહ્યો. મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. બહેન તમે ક્યાં હતા? તે દિવસે અડધો અડધો વડાપાવ ખાઈને જે સંતોષ મળ્યો તે મારા જીવનમાં ફરી ક્યારેય મળ્યો નથી.”

આ પણ વાંચો: ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ગુજરાતી કલાકારોએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: Lata Mangeshkar Net Worth: લતાજી પાસે છે મોંઘી કાર અને કરોડોની પ્રોપર્ટી, ઘર એટલું વિશાળ છે કે 10 પરિવારનો આરામથી થઈ શકે છે સમાવેશ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">