AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Bells : કરિશ્મા કપૂરના માથા પર પડી આલિયા ભટ્ટની કલિરા, અભિનેત્રી આનંદથી ઉછળી, ચાહકોએ કરી કમેન્ટ્સ

આલિયા-રણબીરના (Alia Ranbir Wedding)લગ્ન પછી, કરિશ્મા (Karishma Kapoor) દરેકને કલિરા બતાવતી જોવા મળી હતી, તેણીએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કર્યું તેમાં ઉત્સાહ સાથે ઉછળતી જોવા મળી હતી. એક તસવીરમાં, કરિશ્માએ આલિયાના કલિરા સાથે પોઝ આપ્યો હતો.

Wedding Bells : કરિશ્મા કપૂરના માથા પર પડી આલિયા ભટ્ટની કલિરા, અભિનેત્રી આનંદથી ઉછળી, ચાહકોએ કરી કમેન્ટ્સ
karisma kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 8:47 AM
Share

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ધૂમ મચાવી દીધી છે. આ દરમિયાન એક અન્ય ફોટો સામે આવ્યો છે. જેમાં કરિશ્મા કપૂર (Karisma Kapoor) ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ ફોટામાં કરિશ્મા કપૂરની ખુશીનું રહસ્ય છે આલિયાની કલિરા (Alia Bhatt ka Kalira). વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે, જો દુલ્હનનો કલીરા સ્ત્રીના માથા પર રહે છે, તો તે તેના લગ્નનો આગામી નંબર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, પોતાની જાતને વ્યક્ત કરતી વખતે, કરિશ્માએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે એક તસવીર શેયર કરી છે. આલિયા-રણબીરના લગ્ન પછી કરિશ્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કરિશ્મા બધાને કલિરા બતાવતી જોવા મળી હતી, ઉત્સાહ સાથે ઉછળતી જોવા મળી હતી. તે જ સમયે, અન્ય એક તસવીરમાં, કરિશ્માએ આલિયાના કલિરા સાથે પોઝ આપ્યો હતો. જેમાં તેના ચહેરા પરનું સ્મિત ઘણું બધું કહી રહ્યું હતું.

અહીં જુઓ કરિશ્માની તસવીર…

View this post on Instagram

A post shared by Karisma Kapoor (@therealkarismakapoor)

કરિશ્મા કપૂર દેખાય રહી છે ખુશ

હવે આ તસવીરો જોઈને કરિશ્માના ફેન્સ પણ અનુમાન લગાવી રહ્યા છે કે, શું કરિશ્મા ફરીથી લગ્ન કરવા જઈ રહી છે? આ ફોટાઓના કમેન્ટ સેક્શન પર આવા ઘણા સવાલો પૂછવામાં આવ્યા જેમાં કરિશ્માના લગ્નની વાત કરવામાં આવી હતી. આ પોસ્ટને શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં લખ્યું- ‘ઇન્સ્ટાગ્રામ vs વાસ્તવિકતા. કાલિરા મારા પર પડી મિત્રો.

ફોટો જોયા બાદ સેલેબ્સે પણ આપી હતી પ્રતિક્રિયા

મનીષ મલ્હોત્રા, આધાર જૈન, રિદ્ધિમા કપૂર, સ્ટાઈલિશ અમી પટેલે પણ કરિશ્માના આ ફોટો પર કોમેન્ટ કરી હતી. આ તમામ સેલેબ્સ કરિશ્માના એક્સપ્રેશન જોઈને પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહોતા અને તેના માટે તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. અત્યારે એ જોવું ખૂબ જ રોમાંચક છે કે શું કરિશ્મા પર પડી ગયેલી કલિરા કોઈ નવા સારા સમાચાર નથી આપી રહી? તમને જણાવી દઈએ કે, કરિશ્મા પણ રણબીરના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. તેથી તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર તેણે હેશટેગ સાથે ‘મારા ભાઈના લગ્ન’ પણ લખ્યું.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 14 એપ્રિલે ગુરુવારે બપોરે થયા હતા. રણબીર આલિયાએ કપૂરના ઘર વાસ્તુમાં લગ્નની વિધિઓ કરી હતી. લગ્નમાં નજીકના લોકો જ હાજર હતા. લગ્નમાં માત્ર કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ સિવાય રણબીર અને આલિયાના મિત્રો પણ આ લગ્નમાં સામેલ થયા હતા. આલિયા અને રણબીરના લગ્નમાં કરણ જોહર અને અયાન મુખર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Alia-Ranbir Wedding Party: આલિયા-રણબીરની લગ્ન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્રિટીનો જમાવડો, જુઓ PHOTOS

આ પણ વાંચો: Alia Ranbir Wedding: આલિયા ભટ્ટ Mrs. Kapoor બનતાની સાથે જ પતિ રણબીર કપૂર સાથે તેની ઇન્સ્ટાગ્રામ DP બદલ્યુ

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">