બોલિવૂડ કલાકારો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભલે તેમના લગ્નની પુષ્ટિ કરી ન હોય, પરંતુ સોશિયલ મીડિયા પર કપલના ખાસ દિવસ વિશે વાત કરવામાં આવી રહી છે. લગ્નના સ્થળથી લઈને મેનુ સુધી ચર્ચાઓ ચાલી રહી છે, હવે એવી વાત સામે આવી છે કે સેલિબ્રિટી મહેંદી આર્ટીસ્ટ વીણા નાગડા કિયારા અડવાણીના હાથ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની સુંદર મહેંદી લગાવશે.
આ પણ વાંચો : કિયારાએ ખાસ અંદાજમાં સિદ્ધાર્થને કર્યું બર્થડે વિશ, ક્યૂટ ફોટો કર્યો શેયર
હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો સામે આવ્યા છે કે, કિયારા અડવાણીના હાથ પર વીણા નાગડા સિદ્ધાર્થના નામની મહેંદી ડિઝાઈન કરશે. તે પોતે રાજસ્થાન જવા રવાના થઈ ગઈ છે. તેને ત્યાં થઈ રહેલા એક મોટા લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વીણા નાગડાના આ ફોટાએ સ્પષ્ટ કરી દીધું છે કે, સેલિબ્રિટી મહેંદી આર્ટીસ્ટ ક્યાંય નહી પરંતુ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં ગયા છે.
વીણા નાગડા ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત મહેંદી કલાકાર છે. કિયારા અડવાણીના લગ્ન પહેલા તેણે ઈશા અંબાણી અને તેની ભાભી શ્લોકા મહેતાના હાથ શણગાર્યા છે. જો તમે વીણા નાગડાના સોશિયલ મીડિયા પેજ પર પણ નજર નાખો તો તે કેટલીક સેલિબ્રિટી સાથે દેખાશે. તમારી જાણકારી માટે અહીં જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારા 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે.
આ દિવસોમાં બોલિવૂડના લવલી કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને બી-ટાઉનમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે આ સમાચારને સમર્થન માનવામાં આવી રહ્યું છે. કારણ કે બિગ બોસ 16 હોસ્ટ કરતી વખતે, કરણ જોહરે રેપર બાદશાહ સાથે સિદ્ધાર્થ કિયારાના લગ્ન વિશે વાત કરી હતી. આ પહેલા જેસલમેરના સૂર્યગઢ પેલેસ તરફથી પણ બંનેના લગ્નને લઈને કન્ફર્મેશન આપવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સંગીતથી માંડીને હલ્દી-મહેંદી સુધીના તમામ ફંક્શન ખૂબ જ ખાસ બનવાના છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ-કિયારા બોલિવૂડ ડાન્સ નંબર્સ પર શાનદાર પરફોર્મન્સ આપશે.