AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદિત્ય ધરની ‘Dhurandhar’ માં નથી કોઈ દમ? તિગ્માંશુ ધૂલિયાના નિવેદને સળગાવી આગ, ફેન્સે કહ્યા ‘નારાજ ફૂવા’

બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ સીરિઝ 'ધુરંધર' ભલે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી રહી હોય પરંતુ ઈન્ડસ્ટ્રીના જ કેટલાક મોટા નામોને આ ફિલ્મ જરાય પચી નથી. તાજેતરમાં જ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ બોલિવૂડની વાર્તાઓની ખામીઓ ગણાવતા 'ધુરંધર' ની વાર્તાની સખત ટીકા કરી રહ્યા છે.

આદિત્ય ધરની 'Dhurandhar' માં નથી કોઈ દમ? તિગ્માંશુ ધૂલિયાના નિવેદને સળગાવી આગ, ફેન્સે કહ્યા 'નારાજ ફૂવા'
| Updated on: Sep 08, 2026 | 9:40 PM
Share

બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ સીરિઝ ‘ધુરંધર’ ઘણા લોકોના ગળે નથી ઊતરી રહી. ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોએ આની ટીકા કરી છે, જેના કારણે હલચલ મચી ગઈ છે. કરોડોની કમાણી કરનારી ‘ધુરંધર’ સીરિઝને લઈને બોલિવૂડમાં આટલી બેચેની કેમ છે? આ તો કોઈને ખબર નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે, આવનારા દિવસોમાં પણ આ બેચેની ખતમ થવાની નથી.

ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા પણ હવે આ લિસ્ટમાં જોડાઈ ચૂક્યા છે, જેમને ‘ધુરંધર’ કંઈ ખાસ નથી લાગી. તિગ્માંશુ ધૂલિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ‘ધુરંધર’ ની વાર્તાની ટીકા કરતા દેખાઈ રહ્યા છે.

Tigmanshu Dhulia ને બકવાસ લાગી Dhurandhar ની વાર્તા

તિગ્માંશુ ધૂલિયાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે કોઈ સેમિનારનો લાગી રહ્યો છે. ત્યાં તેમને બોલવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે કે, તેમને ‘ધુરંધર’ ની વાર્તા કંઈ ખાસ નથી લાગી.

તિગ્માંશુ ધૂલિયા બોલી રહ્યા છે, “ધુરંધરની વાર્તા તમે કહી જ નહીં શકો… એક અંડરકવર માણસ છે, જે પાકિસ્તાન જાય છે અને ત્યાં જઈને તબાહી મચાવી દે છે. બોલિવૂડમાં વાર્તાઓ ખતમ થઈ ગઈ છે. કોઈ નવી વાર્તા સંભળાવી નથી રહ્યું. એક તો નવી વાર્તા કોઈ સંભળાવવા નથી માગતું અને જો કોઈ નવી વાર્તા સંભળાવવા માગશે તો તેને ચાન્સ આપવામાં નહીં આવે. એવામાં જ્યારે એક્સ્ટ્રીમ કેપિટલિઝમ (અતિશય મૂડીવાદ) આવી જાય છે, ત્યારે આવું જ થાય છે. હવે મારા શહેર અલ્હાબાદને જ લઈ લો, જેની પોતાની એક ઓળખ હતી. આજે તે તેવું નથી દેખાતું. અલ્હાબાદમાં પણ એ જ ગાડીઓ છે… એ જ મોલ છે. તે શહેરનું કેરેક્ટર (ઓળખ) જ ખતમ કરી દેવામાં આવ્યું છે.”

ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાનું આ નિવેદન એ લોકોના ગળે નથી ઊતરી રહ્યું, જેમને ‘ધુરંધર’ પસંદ આવી છે. આવા લોકો સતત તિગ્માંશુને ‘નારાજ ફૂવા’ ગણાવી રહ્યા છે.

‘Student Of The Year 3’ માં જોવા મળશે કોલેજ લાઈફનું ‘કાળું સત્ય’, શનાયા કપૂરને માથે ‘મોટી જવાબદારી’

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">