AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News: પ્રતિક ગાંધીની ફિલ્મ રાવણ લીલાનું નામ બદલીને કરવામાં આવ્યું ‘ભવાઈ’, જાણો શું આપ્યું મેકર્સે કારણ

પ્રતિક ગાંધીની આગામી ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું નામ બદલીને (ravan leela name change) ભવાઈ કરી દીધું છે.

Big News: પ્રતિક ગાંધીની ફિલ્મ રાવણ લીલાનું નામ બદલીને કરવામાં આવ્યું 'ભવાઈ', જાણો શું આપ્યું મેકર્સે કારણ
The makers of Prateek Gandhi's film Ravan Leela changed the name to 'Bhavai'
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 10:45 AM
Share

સ્કેમ 1992 બાદ પ્રતિક ગાંધી (Pratik Gandhi) નેશનલ સ્ટાર બની ગયા છે. આ બાદ તેમની ફિલ્મ કે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું રાવણ લીલા (Ravan Leela). ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. લોન્ચ થયાના ત્રણ દિવસમાં ટ્રેલર 10 મિલિયન વ્યુઝને ક્રોસ કરીને હીટ થઇ રહ્યું હતું. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે પ્રતિકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. જી હા આ બાબતે મેકર્સે ઓફિશિયલ રીતે જાહેરાત પણ કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.

ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે રાવણ લીલાનું શીર્ષક હવે ‘ભવાઈ’ (Bhavai) હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે ‘પ્રેક્ષકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે લાગી રહ્યું છે કે આ વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિક ગાંધીએ પણ આ વિશે પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘મારા માટે, દરેક વાર્તા કે જેનો હું ભાગ છું તે તમારા હૃદય સાથે જોડાવાનો રસ્તો છે અને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી! અમે એક ટીમ તરીકે સામૂહિક રીતે અમારી ફિલ્મનું નામ બદલીને #BHAVAI કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં રજૂ થશે. 1 ઓક્ટોબરે થિયેટરોમાં તમારા મિત્રો અને પરિવાર સાથે મળીશું!’

ફિલ્મના દિગ્દર્શક હાર્દિક ગજ્જરે જણાવ્યું હતું કે, “અમારા ભાગીદારો અને દર્શકોનું સન્માન કરતા મને ખુશી છે. અત્યાર સુધી અમને આ ફિલ્મ માટે જે પ્રેમ મળ્યો છે તેના પરથી લાગે છે કે સિનેમા માટે સારી ફિલ્મો એ સમય ની જરૂરીયાત છે. સિનેમા લોકોને મનોરંજન પૂરું પાડે છે. દર્શકોએ પ્રતિક અને તેના કામ માટે પ્રેમ દર્શાવ્યો છે અને અમને આશા છે કે આ ફિલ્મ તેને આગળ લઇ જશે.

આ ફિલ્મમાં પ્રતીક ગાંધી, ઈન્દ્રીતા રે, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ શર્મા અને અભિમન્યુ સિંહ જેવા કલાકારો જોવા મળવાના છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કે જેનું પહેલા રાવણ લીલા નામ હતું અને હવે ‘ભવાઈ’ નામ છે. તે ઓક્ટોબર મહિનામાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 1 ઓક્ટોબર 2021 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Big News: વિવાદો વચ્ચે શિલ્પા શેટ્ટી કરશે નવી શરૂઆત, OTT પર ધૂમ મચાવવા તૈયાર અભિનેત્રી

આ પણ વાંચો: KBC 13: જ્યારે ‘સાત હિન્દુસ્તાની’ ના નિર્દેશકને લાગ્યું ઘરેથી ભાગી ગયા છે બિગ બી, અમિતાભે સંભળાવ્યો મજેદાર કિસ્સો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">