AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે ‘થલાઈવી’

કંગના રનૌતની આ ફિલ્મ પીઢ અભિનેત્રી અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં તે દરેક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને જયલલિતાએ સામનો કર્યો હતો.

Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે 'થલાઈવી'
Kangana Ranaut, (Thalaivi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:42 PM
Share

કંગના રનૌત (Kangana Ranaut)ના ચાહકો તેમની મનપસંદ સ્ટારની ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi)ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંગનાના ચાહકો દરરોજ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર કમેન્ટ કરીને પુછતા હતા કે ‘થલાઈવી’ ક્યારે રિલીઝ થશે. આજે એટલે કે સોમવારે ‘થલાઈવી’ના નિર્માતાઓએ કંગનાના ચાહકોની આ પ્રતિક્ષાનો અંત લાવ્યા છે, એટલે કે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. કંગના રનૌતની આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

અભિનેત્રી કંગના રનૌતે તેમની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે, જેમાં અભિનેતા અરવિંદ સ્વામી પણ જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર શેર કરતા કંગનાએ લખ્યું – આ પ્રતિષ્ઠિત પર્સનાલિટીની વાર્તા મોટા પડદા પર જોવા લાયક છે. થલાઈવી માટે માર્ગ બનાવો, કારણ કે તે સિનેમાની દુનિયામાં એક સુપરસ્ટારની એન્ટ્રી કરવા માટે પુરી રીતે તૈયાર છે. તે સ્થાન જ્યાં તેમનું હંમેશા પ્રભુત્વ ધરાવે છે. થલાઈવી 10 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

અહીં જુઓ થલાઈવીનું નવું પોસ્ટર

અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કંગનાની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, પરંતુ કંગનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ અટકળોને ફગાવી દીધી હતી. કંગનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની આ ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ થશે. આ સિવાય ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન પણ કંગનાએ ફિલ્મોને માત્ર થિયેટરોમાં રિલીઝ કરવાનો આગ્રહ રાખ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે જે ફિલ્મો બહાર આવી રહી છે તે તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન નથી કરી રહી, પરંતુ એવું નથી કે તે અંડરપરફોર્મ કરી રહી છે. તેઓ ચોક્કસપણે સારો પ્રભાવ બનાવી રહ્યા છે. પ્રેક્ષકો તૈયાર છે.

એએલ વિજય દ્વારા નિર્દેશિત થલાઈવીમાં કંગના રનૌત ઉપરાંત સુપરસ્ટાર અરવિંદ સ્વામી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અરવિંદ સ્વામી આ ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામારાવની ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે જ પ્રખ્યાત અભિનેત્રી મધુ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :- The Kapil Sharma Show : વાણી કપૂરની ભારતી સિંહે ઉડાવી મજાક, સ્કિની ફિગર વિશે કહી આ વાત

આ પણ વાંચો :- Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">