AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે ‘થલાઈવી’

કંગના રનૌતની આ ફિલ્મ પીઢ અભિનેત્રી અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં તે દરેક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને જયલલિતાએ સામનો કર્યો હતો.

Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે 'થલાઈવી'
Kangana Ranaut, (Thalaivi)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:42 PM
Share

કંગના રનૌત (Kangana Ranaut)ના ચાહકો તેમની મનપસંદ સ્ટારની ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi)ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંગનાના ચાહકો દરરોજ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર કમેન્ટ કરીને પુછતા હતા કે ‘થલાઈવી’ ક્યારે રિલીઝ થશે. આજે એટલે કે સોમવારે ‘થલાઈવી’ના નિર્માતાઓએ કંગનાના ચાહકોની આ પ્રતિક્ષાનો અંત લાવ્યા છે, એટલે કે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. કંગના રનૌતની આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

અભિનેત્રી કંગના રનૌતે તેમની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે, જેમાં અભિનેતા અરવિંદ સ્વામી પણ જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર શેર કરતા કંગનાએ લખ્યું – આ પ્રતિષ્ઠિત પર્સનાલિટીની વાર્તા મોટા પડદા પર જોવા લાયક છે. થલાઈવી માટે માર્ગ બનાવો, કારણ કે તે સિનેમાની દુનિયામાં એક સુપરસ્ટારની એન્ટ્રી કરવા માટે પુરી રીતે તૈયાર છે. તે સ્થાન જ્યાં તેમનું હંમેશા પ્રભુત્વ ધરાવે છે. થલાઈવી 10 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

અહીં જુઓ થલાઈવીનું નવું પોસ્ટર

અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કંગનાની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, પરંતુ કંગનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ અટકળોને ફગાવી દીધી હતી. કંગનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની આ ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ થશે. આ સિવાય ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન પણ કંગનાએ ફિલ્મોને માત્ર થિયેટરોમાં રિલીઝ કરવાનો આગ્રહ રાખ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે જે ફિલ્મો બહાર આવી રહી છે તે તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન નથી કરી રહી, પરંતુ એવું નથી કે તે અંડરપરફોર્મ કરી રહી છે. તેઓ ચોક્કસપણે સારો પ્રભાવ બનાવી રહ્યા છે. પ્રેક્ષકો તૈયાર છે.

એએલ વિજય દ્વારા નિર્દેશિત થલાઈવીમાં કંગના રનૌત ઉપરાંત સુપરસ્ટાર અરવિંદ સ્વામી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અરવિંદ સ્વામી આ ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામારાવની ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે જ પ્રખ્યાત અભિનેત્રી મધુ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :- The Kapil Sharma Show : વાણી કપૂરની ભારતી સિંહે ઉડાવી મજાક, સ્કિની ફિગર વિશે કહી આ વાત

આ પણ વાંચો :- Nushrratt Bharucchaએ બતાવ્યો પોતાનો ફિલ્ટર લુક, Photos જોયા બાદ ચાહકો થયા તેમના દિવાના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">