AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer: દુનિયાભરમાં જેલરે મચાવી ધૂમ, રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની (Rajinikanth) ફિલ્મ જેલરનો ચાર્મ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દુનિયાભરમાં જોરદાર કમાણી કરી રહી છે. હાલમાં રજનીકાંત ઉત્તર પ્રદેશમાં છે અને તેઓ સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે આ ફિલ્મ જોવાના છે.

Jailer: દુનિયાભરમાં જેલરે મચાવી ધૂમ, રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ
CM Yogi Adityanath - RajinikanthImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 6:56 AM
Share

સાઉથ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર રજનીકાંતની (Rajinikanth) સ્ટાઈલ એકદમ અલગ છે. રજનીકાંતની કોઈપણ ફિલ્મ આવે તો તે સાઉથમાં ફિલ્મ તહેવાર બરાબર છે. હાલમાં રજનીકાંત તેમની રિલીઝ થયેલી ફિલ્મ જેલરને લઈને ચર્ચામાં છે. દુનિયાભરમાં તેમની ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. જેલર ફિલ્મ સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2 સાથે રિલીઝ થઈ ગઈ છે. પરંતુ જેલરની કમાણી પર ગદર 2 અને ઓએમજી 2ની કોઈ અસર જોવા મળી નથી. રજનીકાંત પણ પોતાની ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં તે યુપીના સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે ફિલ્મ જોશે.

હાલમાં રજનીકાંત યુપીમાં છે અને તેઓ ફિલ્મ જેલર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે. સાઉથ સુપરસ્ટારે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતાં આ માહિતી આપી છે. તેમને પૂછવામાં આવ્યું કે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે અને તેઓ યુપી સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહ્યા છે. એક્ટરે તેનો જવાબ આપતાં કહ્યું કે તેઓ યુપી આવ્યા છે અને ફિલ્મ પણ સીએમ યોગી આદિત્યનાથ સાથે જોવા જઈ રહ્યા છે.

(Tweet: ANI Twitter) 

આ પછી તેને ફિલ્મની સફળતા પર તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. તેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે તેમની ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે કારણ કે ભગવાનના આશીર્વાદ છે. તમને જણાવી દઈએ કે રજનીકાંત પોલિટિક્સમાં પણ એક્ટિવ છે અને આ સાથે તેઓ સતત ફિલ્મોમાં પણ પોતાની એક્ટિવનેસ બતાવી રહ્યા છે. 72 વર્ષના રજનીકાંતની ફેન ફોલોઈંગ દુનિયામાં જોરદાર છે.

આ પણ વાંચો: ગદર, પઠાણને ટક્કર આપશે શાહરૂખ ખાનની ‘જવાન’, એડવાન્સ બુકિંગે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

ફિલ્મ જેલર વિશે વાત કરીએ તો, તે 10 ઓગસ્ટના રોજ દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. દુનિયાભરમાં આ ફિલ્મે 8 દિવસમાં 470 કરોડની કમાણી કરી લીધી છે. રજનીકાંતની પોપ્યુલારિટી અને તેમની સફળતા આ આંકડાઓ વિશે જણાવે છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર વધુ કમાણી થવાની તમામ આશા છે. ભારતમાં પણ આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે અને 235 કરોડની કમાણી કરી ચૂકી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">