AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj kundra case : પતિ રાજ કુન્દ્રાના સમર્થનમાં આવી શિલ્પા શેટ્ટી, ટ્વીટ કરીને કહ્યું- સત્ય અંત સુધી સત્ય રહે છે

જ્યારે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી ત્યારે શિલ્પા શેટ્ટીએ એકલા હાથે પરિવારની સંભાળ લીધી હતી. શિલ્પાએ હંમેશા પોતાના પતિને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. હવે અભિનેત્રીએ પણ પોતાના પતિના સમર્થનમાં એક ટ્વિટ કર્યું છે.

Raj kundra case : પતિ રાજ કુન્દ્રાના સમર્થનમાં આવી શિલ્પા શેટ્ટી, ટ્વીટ કરીને કહ્યું- સત્ય અંત સુધી સત્ય રહે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 9:25 AM
Share

અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસમાં બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાનું (Raj Kundra) નામ આવ્યું હતું. આ કેસમાં તે થોડા મહિના જેલમાં પણ રહ્યો હતો. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ રાજે થોડા દિવસ પહેલા જ આ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાજે કહ્યું હતું કે અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસમાં તેનો કોઈ હાથ નથી. તેમજ તે ક્યારેય અશ્લીલ ફિલ્મ બનાવવાના કન્ટેન્ટ પ્રોડક્શન અથવા ડિસ્ટ્રીબ્યુશનનો ભાગ રહ્યો નથી.

હવે રાજના આ ઈન્ટરવ્યુને શેર કરતા શિલ્પાએ વિન્સ્ટન ચર્ચિલની એક લાઈન શેર કરી છે જેમાં લખ્યું છે, સત્ય કાયમ છે. દ્વેષ તેના પર હુમલો કરી શકે છે, અજ્ઞાનતા તેની ઉપહાસ કરી શકે છે, પરંતુ અંતે તે જ સત્ય છે.

રાજે શું કહ્યું રાજ કુન્દ્રાએ અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસ વિશે કહ્યું હતું કે, ‘મારા મૌનને કારણે ઘણાં ખોટા અને બેજવાબદાર નિવેદનો અને લેખો લખવામાં આવ્યા છે. મારું મૌન મારી નબળાઈ તરીકે લેવામાં આવ્યું હતું. પરંતુ હું બધાને કહેવા માંગુ છું કે આ કેસના પ્રોડક્શન અથવા ડિસ્ટ્રીબ્યુશનમાં મારો કોઈ હાથ નથી. આ બધું માત્ર મને ફસાવવા માટે કરવામાં આવ્યું હતું. અત્યારે આ કેસની તપાસ ચાલી રહી છે. તેથી હું તેના પર વધુ ટિપ્પણી કરીશ નહીં. પરંતુ હું ટ્રાયલ માટે તૈયાર છું અને મને કાયદામાં સંપૂર્ણ વિશ્વાસ છે. સત્યનો વિજય થશે.

રાજે એમ પણ કહ્યું હતું કે મીડિયા દ્વારા તેને પહેલેથી જ આરોપી જાહેર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારને ઘણી પીડામાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ મેં શરમમાં મારો ચહેરો નથી છુપાવ્યો. પરંતુ હું ઈચ્છું છું કે આ મીડિયા ટ્રાયલને કારણે મારી પ્રાઈવસી ખલેલ પહોંચે. મારી પ્રાથમિકતા હંમેશા મારો પરિવાર છે અને મારા માટે કંઈ મહત્વનું નથી.

રાજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા તમને જણાવી દઈએ કે જેલમાંથી બહાર આવ્યા બાદ રાજે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધા હતા. જ્યારે પહેલા તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો અને શિલ્પા કે બાળકો સાથે ફોટો અને વીડિયો શેર કરતો હતો. આટલું જ નહીં તે હજુ પણ શિલ્પા સાથે ખુલ્લેઆમ બહાર જોવા નથી મળ્યો. થોડા દિવસો પહેલા તે શિલ્પા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પરંતુ તે શિલ્પા સાથે ચાલતો ન હતો પણ અલગ જ જતો હતો. આ સાથે તેણે માસ્ક પહેર્યું હતું અને હૂડી પહેરી હતી.

આ પણ વાંચો : corona case : ઓમિક્રોનના વધતા મામલા પર કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, નાઇટ કર્ફ્યુ લગાવવા અને યુદ્ધના ધોરણે કામ સહીત કહી 10 વાત

આ પણ વાંચો : કોણ છે રાજકુમારી હયા જેને દુબઈના રાજા શેખ મોહમ્મદથી છૂટાછેડા લીધા બાદ મળશે 5500 કરોડ રૂપિયા?

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">