Sara Ali Khan : ફિલ્મના પ્રમોશન માટે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી સારા અલી ખાન, મંદિરમાં જઈને કરી પૂજા

Sara Ali Khan Ujjain Mahakal : સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી અને શિવ ભક્તિમાં લીન જોવા મળી હતી. સારાના મંદિરમાં જવા માટે પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. સારા અલગ-અલગ શહેરોમાં જઈને પોતાની ફિલ્મ 'જરા હટકે, જરા બચકે'નું પ્રમોશન કરી રહી છે.

Sara Ali Khan : ફિલ્મના પ્રમોશન માટે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી સારા અલી ખાન, મંદિરમાં જઈને કરી પૂજા
Sara Ali Khan reached Ujjain s Mahakal Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 4:02 PM

Ujjain : અભિનેત્રી સારા અલી ખાન હાલમાં તેની ફિલ્મ ‘જરા હટકે, જરા બચકેના પ્રમોશનમાં વ્યસ્ત છે. પહેલા કેદારનાથ અને પછી લખનૌના શિવ મંદિરમાં પૂજા કર્યા બાદ સારા હવે ભોલેનાથના શહેર ઉજ્જૈન પહોંચી ગઈ છે. સારાએ મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી અને શિવલિંગને જળ ચઢાવ્યું. જો કે, સારા તેની શિવ ભક્તિને લઈને પણ ટ્રોલર્સના નિશાના પર છે. મંદિરમાં દર્શન કરવા બદલ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ  પણ વાંચો : Tere Vaaste Song : વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું લેટેસ્ટ Song, જુઓ VIDEO

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મહાકાલ મંદિરમાં કરી આરતી

સારા અલી ખાન અને વિકી કૌશલ તેમની આગામી ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ના પ્રમોશન માટે શહેરભરમાં ફરે છે. સારા ક્યારેક મંદિરમાં તો ક્યારેક દરગાહમાં ચાદર ચઢાવતી જોવા મળે છે. હવે સારા મહાકાલ મંદિરમાં આરતી કરતી જોવા મળે છે. તેના કપાળ પર ચંદન અને માથા પર ખેસ સાથે, સારા શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. સારાએ શિવલિંગને જળ ચઢાવ્યું અને ભજન કીર્તનમાં લીન જોવા મળી.

કેટલાક લોકોને સારાની શિવ ભક્તિ પસંદ નથી

આ પહેલા સારા અલી ખાન અને વિકી કૌશલ લખનૌના શિવ મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. સારા અને વિકી ભોલેનાથની સામે બેસીને પૂજા કરતા જોવા મળ્યા હતા. સારા પણ થોડા સમય પહેલા કેદારનાથ પહોંચી હતી. જો કે કેટલાક લોકોને સારાની શિવ ભક્તિ પસંદ નથી. મંદિરમાં જઈને પૂજા કરવા બદલ સારાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે

તમને જણાવી દઈએ કે સારા અલી ખાનને શિવ ભક્તિ સાથે ખાસ સંબંધ છે. તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ હતી. જેણે તેને બોલિવૂડમાં ઘણી ઓળખ મળી. હવે સારા અને વિકી કૌશલની ફિલ્મ જરા હટકે જરા બચકે આવવાની છે. આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની વાર્તા એક કપલની લવ લાઈફ અને છૂટાછેડાની આસપાસ ફરે છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં સારાએ સૌમ્યાનો રોલ કર્યો છે અને વિકીએ કપિલનો રોલ કર્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">