સલમાન ખાનને મળી રાહત, કાળિયાર શિકાર સાથે જોડાયેલા કેસની સુનાવણી હવે હાઈકોર્ટમાં થશે

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને (salman khan) હરણ શિકાર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે 21 માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા તેને સ્વીકારી લીધી છે.

સલમાન ખાનને મળી રાહત, કાળિયાર શિકાર સાથે જોડાયેલા કેસની સુનાવણી હવે હાઈકોર્ટમાં થશે
Salman Khan (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:15 PM

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને (salman khan) હરણ શિકાર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી (Rajasthan high-count) મોટી રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે 21 માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા તેને સ્વીકારી લીધી છે. હાઈકોર્ટે નિર્ણય કર્યો કે હવે હાઈકોર્ટમાં તમામ કેસની સુનાવણી એકસાથે થશે. જેથી સલમાન ખાનને હવે વારંવાર કોર્ટમાં આવવું નહીં પડે. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હરણ શિકાર કેસમાં જામીન પર બહાર છે. આ પહેલા સલમાન ખાનના વકીલે હરણ શિકાર કેસ સાથે સંબંધિત તમામ અપીલોને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટમાં સરકારી એડવોકેટ વતી જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસેથી સમય માંગવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે સુનાવણી માટે 21 માર્ચની તારીખ નક્કી કરી હતી.

મહત્વનું છે કે આ પહેલા સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ સલમાન સંબંધિત અપીલને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી સતત સ્થગિત કરવામાં આવી હતી. કાળિયાર શિકાર કેસમાં આરોપી સલમાન ખાનને ગૌણ અદાલતે 5 વર્ષની સજા સંભળાવી છે અને ગેરકાયદેસર હથિયારના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

સલમાન ખાનના વકીલ હસ્તિમલ સારસ્વત અને રેખા સાંખલાએ સંબંધિત અપીલને સેશન્સ કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ જ સરકારી એડવોકેટ ગૌરવ સિંહે પોતાનો જવાબ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, જે કોર્ટે સ્વીકારી લીધો હતો અને સરકારી વકીલને પોતાનો જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો હતો.

સલમાન સાથે જોડાયેલી કાનૂની બાબતો

તમને જણાવી દઈએ કે વર્ષ 1998માં જોધપુરમાં ફિલ્મ હમ સાથ-સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર જોધપુર શહેરની નજીક ત્રણ અલગ-અલગ જગ્યાએ કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામ બહારના વિસ્તારમાં ચિંકારાના શિકારના અલગ-અલગ કેસ પણ નોંધાયા હતા. આ ઉપરાંત ત્રીજા કેસમાં તેની સામે કાંકાણી ગામમાં બે કાળા હરણનો શિકાર કરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. સલમાન વિરુદ્ધ ચોથા કેસમાં ગેરકાયદેસર હથિયારોનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આવકવેરા વિભાગમાં નોકરી મેળવવાની તક, ટેક્સ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી

આ પણ વાંચો: Career in Aviation: એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી કેવી રીતે બનાવવી? જાણો અભ્યાસક્રમ અને ટોચના કારકિર્દી વિકલ્પો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">