AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ એક્ટર રણવીર સિંહ ઘાયલ સિંહની જેમ ત્રાટકવાની તૈયારીમાં.. જુઓ Video

રણવીર સિંહની મહત્વાકાંક્ષી ફિલ્મ "ધુરંધર" નો ડરામણો અને બરછટ ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આદિત્ય ધરેના દિગ્દર્શનમાં બનેલી આ જાસૂસી થ્રિલરમાં રણવીર ઉપરાંત આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા મોટા કલાકારો છે.

બોલિવુડ એક્ટર રણવીર સિંહ ઘાયલ સિંહની જેમ ત્રાટકવાની તૈયારીમાં.. જુઓ Video
| Updated on: Jul 26, 2025 | 6:37 PM
Share

ફ્લોપ ફિલ્મોના લાંબા સિલસિલા બાદ હવે રણવીર સિંહે બોલિવૂડમાં પોતાની વાપસીના ઢોળકા વગાડ્યા છે. પોતાના 40મા જન્મદિવસે એક્ટરે પોતાની આગામી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને ઈન્ડસ્ટ્રીના હરીફોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે હું વધુ તાકાતથી પરદે પાછો ફરી રહ્યો છું. પોતે ઘવાયો છે એટલે વધુ ખતરનાક છે. એવો ખુલ્લો ચેલેન્જ રણવીર તરફથી આવ્યો છે.

ડરામણું અને બરછટ અવતાર

ફિલ્મના ફર્સ્ટ લુકમાં રણવીર સિંહ એક શક્તિશાળી અને ડરામણા નાયક તરીકે જોવા મળે છે. તેની ઘાતક નજરો, કસાયેલી બોડી અને લાંબા વાળથી સ્પષ્ટ થાય છે કે એક્ટરે પોતાના પાત્રમાં જીવ ભરવા માટે શારીરિક રૂપાંતરમાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં રણવીરે જણાવ્યું કે, “એક મહાદુષ્ટ (નાયક)નો ઉદય થશે અને એ સાથે એક અજાણી સત્યકથાનો પડદો ઉંચકાશે.”

સ્ટાર કાસ્ટથી ભરપૂર ‘ધુરંધર’

‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ના ડિરેક્ટર આદિત્ય ધરે નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ એક જાસૂસી થ્રિલર છે, જે આવતા મહિને થિયેટરોમાં રિલીઝ થશે. રણવીર સિંહ સાથે આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા તાકતવર અભિનેતાઓ પણ ફિલ્મનો ભાગ બન્યા છે. ફિલ્મની લીડ હિરોઇન તરીકે સારા અર્જુન જોવા મળશે.

એક્શન અને સસ્પેન્સથી ભરપૂર

ફર્સ્ટ લુકમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી આધારિત છે, પરંતુ સ્ટોરીના અગત્યના પાસાઓ હજી જાહેર કરવામાં આવ્યા નથી. એક્શન થ્રિલર હોવાને કારણે પ્રોમોમાં લોહીની રેલમછેલ જોવા મળે છે. રણવીર ગન અને બોમ્બ સાથે શત્રુઓ પર તૂટી પડે છે, જ્યારે સંજય દત્ત અને અક્ષય ખન્ના હાથે હાથે લડી રહ્યા છે. માધવનનો સેમી બોલ્ડ લુક અને અર્જુન રામપાલનું ખંધુ હાસ્ય દર્શાવે છે કે કંઈક ઘાતક રમકડું ચાલુ છે.

રણવીર માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે?

ફિલ્મના ધમાકેદાર લુક અને મજબૂત સ્ટાર કાસ્ટ જોઈને એવી આશા રાખી શકાય કે ‘ધુરંધર’ રણવીર સિંહ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. લાંબા સમય બાદ પરદે રણવીરનો એવો અવતાર જોવા મળશે, જે તેણે પહેલાં ક્યારેય ન આપ્યો હોય. હવે જોવાનું એ છે કે શા માટે ઘવાયેલો રણવીર હવે ‘ધુરંધર’ બનીને સ્ક્રીન પર શું તોફાન લાવે છે…

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં આવી રહ્યા આ 7 નવા ચેહરા, કોઈ બન્યુ તુલસી મિહિરનો દીકરો, તો કોઈ દીકરો… જોવા માટે અહીં ક્લિક કરો..

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">