Ramayana Movie: તારા સિંહ પછી ‘હનુમાન’ બનીને સની દેઓલ ધૂમ મચાવશે? રણબીર કપૂર સાથે ‘રામાયણ’માં કરશે રોલ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'રામાયણ' એ ભગવાન હનુમાનનો એક નાનકડો હિસ્સો છે અને વાર્તાના અન્ય ઘણા પાસાઓ છે, જે નીતિશ તિવારી દર્શકોને બતાવવા માંગે છે.

Ramayana Movie: તારા સિંહ પછી 'હનુમાન' બનીને સની દેઓલ ધૂમ મચાવશે? રણબીર કપૂર સાથે 'રામાયણ'માં કરશે રોલ?
Sunny Deol
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 2:55 PM

ફિલ્મ આદિપુરુષ પછી નિતેશ તિવારી હવે રામાયણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્નું માનીએ તો ભગવાન રામની ભૂમિકા બોલિવૂડના એક્ટર રણબીર કપૂર ભજવવાના છે તેમજ રાવણ અને સીતાની ભૂમિકા ભજવનારા સ્ટાર્સના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હનુમાનના રોલ માટે સની દેઓલની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આદિપુરૂષના વિવાદ વચ્ચે, માતા સીતાના અવતારમાં Deepika Chikhliaની એક ઝલક, Viral Video પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

એક્ટર સની દેઓલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર શાનદાર રહી છે. સની દેઓલે 2001ની ફિલ્મની સિક્વલમાં તારા સિંહની ભૂમિકા ભજવીને મોટા પડદા પર ધૂમ મચાવી દીધી છે. ‘ગદર 2’ પછી હવે તારા સિંહ એટલે કે સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં જોવા મળી શકે છે.

View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

(Credit Source : Sunny Deol)

એવા ન્યૂઝ મળી રહ્યા છે કે સની દેઓલ મોટા પડદા પર હનુમાનજીના રોલમાં જોવા મળી શકે છે. ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ તેની આવનારી ફિલ્મ ‘રામાયણ’ માટે સની દેઓલની પસંદગી કરી છે અને તે તેને કેસરીનંદનની ભૂમિકામાં જોવા માંગે છે.

હનુમાન બનશે સની દેઓલ!

એક મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારીએ સની દેઓલને ‘રામાયણ’માં રોલની ઓફર કરી હતી. જેને લઈને અભિનેતા પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે આ ફિલ્મમાં પોતાનો રસ બતાવ્યો છે અને તે હનુમાનજીની ભૂમિકાને લઈને ખૂબ જ ખુશ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ‘રામાયણ’ એ ભગવાન હનુમાનનો એક નાનકડો હિસ્સો છે અને વાર્તાના અન્ય ઘણા પાસાઓ છે, જે નીતિશ તિવારી દર્શકોને બતાવવા માંગે છે.

રામાયણની સ્ટાર કાસ્ટ

કહેવામાં આવી રહ્યું છે કે, નીતિશ, મધુ મન્ટેના, નમિત મલ્હોત્રા અને અલ્લુ અરવિંદ દ્વારા નિર્મિત ફિલ્મ ‘રામાયણ’માં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. તેમજ સીતાના રોલ માટે સાઉથ હિરોઈન સાઈ પલ્લવીના નામની ચર્ચા થઈ રહી છે કે તે આ રોલ ભજવી શકે છે અને રાવણના રોલ માટે કેજીએફ સ્ટાર યશની ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર ફિલ્મ માટે નોન વેજ ખોરાક તેમજ આલ્કોહોલ પણ છોડી રહ્યો છે. જો કે હજુ સુધી સ્ટાર કાસ્ટની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી.

આદિપુરુષ ફિલ્મની થઈ હતી ટીકા

ફિલ્મને લઈને હજુ ઓફિશિયલ જાહેરાત થવાની હજી બાકી છે. થોડાં સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે નીતિશ દિવાળીના અવસર પર ફિલ્મની જાહેરાત કરી શકે છે અને ફેબ્રુઆરીથી તે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રભાસ અને કૃતિ સેનનની ‘આદિપુરુષ’ રામાયણ પર બની હતી, જેની લોકોએ ડાયલોગ તેમજ વેશભૂષાને લઈને ભારે ટીકા કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">