AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora Father : મલાઈકા અરોરાના પિતાનું નિધન, વરુણ ધવનને આ વાત પર ગુસ્સો આવ્યો

મલાઈકા અરોરાના પિતાએ આત્મહત્યા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે કેટલાક દિવસથી ખુબ જ દુખી હતી. તો ચાલો જાણીએ કે, એવું શું થયુ કે, બોલિવુડ સ્ટાર વરુણ ધવનને ગુસ્સો આવ્યો કારણ શું છે.

Malaika Arora Father : મલાઈકા અરોરાના પિતાનું નિધન, વરુણ ધવનને આ વાત પર ગુસ્સો આવ્યો
| Updated on: Sep 11, 2024 | 6:04 PM
Share

આજે મલાઈકા અરોરા અને તેના પરિવાર માટે ખુબ દુખદ દિવસ છે. તેના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળેથી આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે, પહેલી નજરે જોવામાં આવે તો આ ઘટના આત્મહત્યાની લાગી રહી છે. પરંતુ પોલીસ હાલમાં આ મામલે કાંઈ પણ કહેવા માંગતી નથી. સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. મલાઈકાના પિતાના ઘરની બહાર મીડિયા અને પાપારાજીનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, ત્યાં પહોંચનારાઓની સામે ડઝનેક કેમેરા મૂકવામાં આવ્યા હતા અને લેન્સનું ધ્યાન ત્યાં પહોંચનારાઓ પર હતું. હવે વરુણ ધવને આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

વરુણ ધવન ગુસ્સે થયો

બોલિવુડ સ્ટાર પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. અનિલ અરોરાની દિકરી મલાઈકા અને અમૃતા પણ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો કેમેરા તેની પર ફોકસ કરવામાં આવ્યા હતા. આ વાતથી નારાજ વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેમણે કોઈનું પણ નામ લીધું નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને કવર કરવાની વાત કરવામાં આવી રહી છે.

વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, જે લોકો દુખમાં છે. તેના ચેહરા પર કેમેરો ફોકસ કરવો અસંવેદનશીલ વસ્તુ છે. મહેરબાની કરીને વિચારો તમે શું કરી રહ્યા છો.

મલાઈકાના પિતાનું મૃત્યું કેવી રીતે થયુ

ન્યુઝ એજન્સી એએનઆઈ મુજબ બુધવારે સવારે 9 કલાકે મલાઈકાના પિતા અનિલ અરોરાએ પોતાના ફ્લેટની બાલકનીમાંથી નીચે કુદી આત્મહત્યા કરી છે. આ મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ક્રાઈમ બ્રાન્ચ જીસીપી રાજા તિલક રોશને કહ્યું પહેલી નજરે આ ઘટના આત્મહત્યાની લાગી રહી છે. પરંતુ હજુ સુધી કાંઈ સ્પષ્ટ કહિ શકાય નહિ. પોલીસ આ કેસની દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. ઘટના સ્થળ પર પોલીસની ટીમ સિવાય ફોરેન્સિકની ટીમ પણ પહોંચી ગઈ છે. અને તમામ સબુતો એકઠા કરી રહી છે.

કોણ હતા અનિલ અરોરા

અનિલ અરોરા મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા હતા. તેણે મલયાલી ખ્રિસ્તી જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા. જોયસ પોલીકાર્પ અને અનિલને બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા છે. જોકે, જ્યારે મલાઈકા માત્ર 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે પિતાને તેની બંને પુત્રીઓ સાથે સારા સંબંધો હતા. ઘણીવાર મલાઈકા અને અમૃતા પિતા અને માતા સાથે તસવીરો શેર કરતી હતી.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">