AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story : કાનૂની મુશ્કેલીમાં ફસાયું ‘ધ કેરલા સ્ટોરી’નું ટીઝર, DGPએ FIR માટે આપ્યા નિર્દેશ

The Kerala Story Controversy : ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના ટીઝરને લઈને વિવાદ વધી રહ્યો છે. કેરળના લોકો ટીઝરનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

The Kerala Story : કાનૂની મુશ્કેલીમાં ફસાયું 'ધ કેરલા સ્ટોરી'નું ટીઝર, DGPએ FIR માટે આપ્યા નિર્દેશ
Adah-Sharma The Kerala Story
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 12:29 PM
Share

The Kerala Story Controversy : ફિલ્મ ધ કેરલા સ્ટોરી માટે મુસીબતો વધી રહી છે. ‘ધ કેરલા સ્ટોરી’નું ટીઝર રિલીઝ થયા બાદથી સતત વિવાદોમાં ઘેરાયેલું છે. ટીઝરમાં વપરાયેલા કેરળના નામ પર તમાશો વધી રહ્યો છે. મામલો હવે કાયદા સુધી પહોંચ્યો છે. ફિલ્મ સામે પ્રતિબંધની માંગ પણ કરવામાં આવી છે. ‘ધ કેરાલા સ્ટોરી’માં અભિનેત્રી અદા શર્મા (Adha Sharma) લીડ રોલમાં છે.

ફિલ્મનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ લોકોએ મેકર્સ પર કેરલનું નામ બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ કેરળના ડીજીપીએ તિરુવનંતપુરમના પોલીસ કમિશ્નરને ‘ધ કેરલા સ્ટોરી’ના ટીઝર સામે FIR નોંધવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી ફરિયાદ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ અંગે કેરળ પોલીસનું કહેવું છે કે હાઈટેક ક્રાઈમ ઈન્કવાયરી સેલે પ્રાથમિક તપાસ કરી હતી, જેનો રિપોર્ટ ડીજીપીને મોકલવામાં આવ્યો હતો.

ટીઝરમાં અદા શર્મા કેરળમાં મહિલાઓની તસ્કરી વિશે આપે છે માહિતી

રિલીઝ થયેલા ટીઝરમાં અદા શર્મા બુરખો પહેરેલી જોવા મળે છે. પોતાનો ચહેરો બતાવીને તે કેરળમાં મહિલાઓની તસ્કરી વિશે માહિતી આપે છે. પોતાની દર્દનાક કહાની સંભળાવતા અભિનેત્રી કહે છે, ‘મારું નામ શાલિની ઉન્નીકૃષ્ણન હતું. હું નર્સ બનીને લોકોની સેવા કરવા માંગતી હતી. હવે હું ફાતિમા બા છું. અફઘાનિસ્તાનમાં એક ISIS આતંકવાદી અને હું એકલી નથી. મારા જેવી 32 હજાર છોકરીઓનું ધર્મપરિવર્તન કરીને સીરિયા અને યમનના રણમાં દફનાવવામાં આવી છે. સામાન્ય છોકરીને ખતરનાક આતંકવાદી બનાવવાની ખતરનાક રમત કેરળમાં ચાલી રહી છે અને તે પણ ખુલ્લેઆમ.’

આ લાઈન જ આ સમગ્ર વિવાદનું કારણ બની હતી. ધ કેરલા સ્ટોરીના ટીઝરમાં નિર્માતાઓએ કેરળમાં આતંકવાદની રમત બતાવી છે. આને લઈને ત્યાંના લોકો ખૂબ જ નારાજ છે. એટલા માટે લોકો આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. ફિલ્મ સામે જોરશોરથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">