KartikAaryan કોરોના પોઝિટિવ, અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફેન્સને કરી આ વિનંતી

એક બાદ એક બોલીવૂડના સિતારાને કોરોનાની નજર લાગી રહી હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં બોલીવૂડના એક્ટર કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

KartikAaryan કોરોના પોઝિટિવ, અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફેન્સને કરી આ વિનંતી
kartik aaryan
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 22, 2021 | 3:55 PM

એક તરફ દેશમાં કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે. અને આની અસર નાના મોટા દરેક વ્યક્તિઓ પર જોવા મળી રહી છે. બોલીવૂડના સિતારાઓ પણ આમાંથી બાકાત રહ્યા નથી. તાજેરતમાં મળેલી માહિતી અનુસાર બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ આવ્યા છે. તાજેતરમાં અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે. ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતી વખતે કાર્તિકે લખ્યું કે, “પોઝિટિવ થઇ ગયો, દુઆ કરો.” આ સાથે તેમને ફેન્સને દુઆ કરવા માટે વિનંતી કરી છે.

આપને જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ દિવસોમાં ફિલ્મ ભૂલભુલૈયા 2 નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ફિલ્મમાં કિયારા અડવાણી અને તબ્બુ પણ છે. બે દિવસ પહેલા અભિનેતા લેક્મે ફેશન વીકમાં પણ અભિનેત્રી કિયારા અડવાણી સાથે રેમ્પ વોક કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમેં તે કોરોના પોઝિટિવ આવતા તેના સંપર્કમાં રહેલા લોકો પર પણ જોખમ વધી ગયું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભૂલભુલૈયા વિશે વાત કરીએ તો તેનું નિર્દેશન અનીસ બઝ્મી કરી રહ્યા છે. કોવિડને કારણે ફિલ્મનું શૂટિંગ ઘણી વખત વિલંબિત થયું હતું. લોકડાઉન સમાપ્ત થયા પછી આ ફિલ્મનું કામ ફરી શરૂ થઈ ગયું. આ ફિલ્મ 2007 ની હોરર કોમેડી ભૂલભુલૈયાની સિક્વલ છે. તેનું દિગ્દર્શન પણ અનીસે કર્યું હતું જેમાં અક્ષય કુમાર, શાઈની આહુજા, વિદ્યા બાલન અને અમીષા પટેલ હતા.

આ સિવાય કાર્તિક આર્યન નેટફ્લિક્સની ફિલ્મ ધમાકામાં પણ જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પત્રકાર અર્જુન પાઠકનો રોલ કરશે.

આ ફિલ્મનું દિગ્દર્શન રામ માધવાણી કરશે.આ પહેલા તેઓ નીરજાને ડિરેક્ટ કરી ચૂક્યા છે. તે જ સમયે રોની સ્ક્રુવાલા, અમિતા માધવાણી અને રામ માધવાણીએ આ ફિલ્મને પ્રડ્યુસ કરી છે. ફિલ્મના રિલીઝ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.

જણાવી દઈએ કે બોલીવૂડમાં એક બાદ એક અભિનેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં સતીસ કૌશીકનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જાહેર છે કે કાર્તિકનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેની ફિલ્મના સેટ પર પણ ખળભળાટ મચી જવા પામ્યો અને તેના સંપર્કમાં આવેલા લોકોએ પણ તેમના સ્વસ્થની ચિંતા કરીને કોરોનાનો રીપોર્ટ કરાવવો આવશ્યક બની જશે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">