AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 વર્ષ પછી પૂરુ થયું કરીના-કરિશ્માનું અધૂરૂં સ્વપ્ન, રણધીર કપૂર-બબીતા ​​સાથે રહેવા માટે થયા રાજી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરીના કપૂર પોતાના પેરેન્ટ્સને અલગ થતા જોયા છે પરંતુ તેના જીવનમાં ફરી એકવાર ખુશીનો પ્રવેશ થયો છે.

35 વર્ષ પછી પૂરુ થયું કરીના-કરિશ્માનું અધૂરૂં સ્વપ્ન, રણધીર કપૂર-બબીતા ​​સાથે રહેવા માટે થયા રાજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 11:58 AM
Share

સામાન્ય હોય કે ખાસ દરેક બાળક ઈચ્છે છે કે તેના માતા-પિતા હંમેશા સાથે રહે. જેથી બાળકોને માતા-પિતાના કારણે કોઈ એક સાથે રહેવાનું નક્કી ન કરવું પડે. જો કે ઘણી વખત બાળકોનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો નથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરીના કપૂર પણ પોતાના પેરેન્ટ્સથી અલગ થતા જોવા મળી છે પરંતુ તેના જીવનમાં ફરી એકવાર ખુશીનો પ્રવેશ થયો છે.

આ પણ વાંચો : Kareena Kapoor Khanના આ લહેંગાની કિંમત કેટલી હશે? તમે અંદાજ પણ નહીં લગાવી શકો

કપૂર પરિવારને એકસાથે જોવાનું બધાને ગમે છે. કપૂર પરિવારની હોળી પાર્ટી અને ક્રિસમસ બ્રંચ ખૂબ ફેમસ છે. આ દરમિયાન આખો પરિવાર એક સાથે જોવા મળે છે અને તેમના ચાહકો બધાને સાથે જોવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં કરીના-કરિશ્માના અંગત જીવન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોલો-બેબોના માતા-પિતા એટલે કે બબીતા ​​અને રણધીર કપૂર ફરી એકવાર સાથે રહેવા લાગ્યા છે.

જુઓ પોસ્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર કરીના અને કરિશ્માના માતા-પિતા બબીતા ​​અને રણધીર કપૂર ફરીથી સાથે રહેવા માટે સંમત થયા છે. બંને તમામ ફરિયાદો ભૂલી ગયા છે. રિપોર્ટ અનુસાર બબીતા ​​તેના પતિ સાથે બાંદ્રામાં રહેવા આવી છે. 35 વર્ષ પછી માતા-પિતાને સાથે રહેતા જોઈને બંને દીકરીઓની ખુશીની કોઈ સીમા નથી. સમાચાર મુજબ રણધીર અને બબીતાનું પુનઃમિલન 7 મહિના પહેલાં થયું હતું.

બબીતા લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં આવીને રહ્યા

તમને જણાવી દઈએ કે 80ના દાયકાના મધ્યમાં બબીતાએ તેની બે પુત્રીઓ સાથે આરકે બંગલો છોડીને અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. તે લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં આવી અને તેની દીકરીઓ સાથે રહેવા લાગી. લગ્નના 17 વર્ષ સુધી સાથે રહ્યા બાદ બબીતા ​​અને રણધીર અલગ રહેવા લાગ્યા. જો કે બંનેએ ક્યારેય છૂટાછેડા લેવાનું નક્કી કર્યું નથી. એવું માનવામાં આવે છે કે બબીતાને રણધીરનું વલણ પસંદ નહોતું.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">