AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Javed Ali Birthday : ‘શ્રીવલ્લી’ના સિંગર જાવેદ અલીએ બદલ્યું નામ, ફિલ્મ ‘નકાબ’ના ગીતથી મળી સફળતા, જાણો તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

વર્ષ 2000માં જાવેદ અલીએ (Javed Ali) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું પહેલું કદમ રાખ્યું હતું. તેણે પહેલીવાર ગોવિંદાની ફિલ્મ 'બેટી નંબર 1'માં ગીત ગાયું હતું.

Javed Ali Birthday : 'શ્રીવલ્લી'ના સિંગર જાવેદ અલીએ બદલ્યું નામ, ફિલ્મ 'નકાબ'ના ગીતથી મળી સફળતા, જાણો તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
javed ali birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 9:40 AM
Share

Javed Ali Birthday : આજે બોલિવૂડ સિંગર જાવેદ અલીનો જન્મદિવસ છે. સિંગર જાવેદ અલી આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે રિતિક રોશન અને ઐશ્વર્યા રાય સ્ટારર ‘જોધા અકબર’નું સુપરહિટ ગીત ‘કહેને કો જશ્ને બહારા હૈ’ ગાયું હતું. એટલું જ નહીં જાવેદ અલીએ પોતાના અવાજમાં ‘તુમ મિલે’ અને ‘કુન ફાયા કુન’ જેવા સુપરહિટ ગીતો પણ કમ્પોઝ કર્યા હતા. તમને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મો સિવાય જાવેદ અલીએ (Javed Ali Birthday) તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી અને મરાઠીમાં પણ ગીતો ગાયા છે. જાવેદ અલીના જન્મદિવસ નિમિત્તે આપણે જાણીએ તેમના જીવનની કેટલીક અજાણી વાતો.

ફિલ્મ ‘બેટી નંબર 1’ના ગીતથી કરી હતી શરૂઆત

જાવેદ અલીનો જન્મ વર્ષ 1982માં દિલ્હીમાં થયો હતો. તેમના પિતા, ઉસ્તાદ હમીદ, એક કુશળ કવ્વાલી ગાયક છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2000માં જાવેદ અલીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું પહેલું કદમ રાખ્યું હતું. તેણે પહેલીવાર ગોવિંદાની ફિલ્મ ‘બેટી નંબર 1’માં ગીત ગાયું હતું.

View this post on Instagram

A post shared by Javed Ali (@javedali4u)

નોંધનીય છે કે જાવેદ અલીએ હિન્દી સિનેમામાં ઘણા ગીતો ગાયા હતા પરંતુ તેમને વર્ષ 2007માં ફિલ્મ ‘નકાબ’ના ગીત ‘એક દિન તેરી રાહોં’ થી ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી તેણે રિતિક રોશન અને ઐશ્વર્યા રોય સ્ટારર ફિલ્મ ‘જોધા અકબર’નું સુપરહિટ ગીત ‘કહેને કો જશ્ને બહાર હૈ’ ગાયું. જે આજે પણ લોકોના દિલ અને દિમાગમાં છે. આ બંને ગીતોએ તેમને હિન્દી સિનેમાના પ્રખ્યાત પ્લેબેક ગાયકોની યાદીમાં સામેલ કર્યા. જણાવી દઈએ કે પુષ્પા ફિલ્મમાં તેમના દ્વારા ગાયેલા ગીત ‘શ્રીવલ્લી’ને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો.

જાવેદે પોતાનું નામ બદલી નાખ્યું હતું

બહુ ઓછા લોકો જાણે છે કે જાવેદ અલીનું સાચું નામ જાવેદ હુસૈન હતું. હા, પણ જાવેદે આવું કેમ કર્યું તેની પાછળ એક ખાસ કારણ છે. આજે જાવેદ અલીને દેશ અને દુનિયામાં ઘણી ઓળખ મળી છે. તેણે પોતાનું નામ જાવેદ હુસૈનથી બદલીને જાવેદ અલી રાખ્યું. તમને જણાવી દઈએ કે જાવેદે પોતાના ગુરુ ગુલામ અલીને શ્રદ્ધાંજલી આપતાં પોતાનું નામ બદલીને જાવેદ અલી રાખ્યું હતું. જાવેદ અલી તેમના ગુરુ ગુલામ અલીની જેમ ગઝલ ગાયક બનવા માંગતા હતા. જો કે તેમનું સપનું પૂરું થઈ શક્યું નહીં.

બોલિવૂડ સિંગર જાવેદ અલીએ ઝી ટીવીના સિંગિંગ આધારિત રિયાલિટી શો ‘સારેગામા પા લિટલ ચેમ્પ્સ’ના જજ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તે સારેગામા પા સીને સ્ટાર કી ખોજમાં પણ હોસ્ટ તરીકે દેખાયો. આ સિવાય અભિષેક બચ્ચનની ફિલ્મ દિલ્હી 6ના ગીત મૌલા-મૌલાએ પણ તેને ખાસ ઓળખ અપાવી હતી. આ ગીત એકદમ સુપરહિટ સાબિત થયું.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">